જ્યોતિષ: નવ પરણિત તરીકે ઇચ્છો છો કે તમારી "જોડી" સલામત રહે?
લાલ રંગ ખુશાલીનુ પ્રતિક ગણાય છે, પરિણામે બંને એકબીજાને લાલ રંગની વસ્તુ ગિફ્ટમાં આપે જેનાથી તમારો સંબંધ મધુર બને છે.
જુવાનીમાં પગ મૂકતાની સાથે જ દેરક વ્યકિત મનમાં પોતાના જીવનસાથીને લઈ અનેક ખયાલી પુલાવ પકાવવા લાગે છે. જેમકે, મારો જીવનસાથી સૌથી અલગ હોય, મારી કાળજી રાખે, મારી લાગણીઓને સમજે, મારો સારો મિત્ર બને, મને સૌથી વધુ પ્રેમ આપે, અમે બધીજ વાતો એકબીજીને કહીં શકીએ, સામાજીક દ્રષ્ટિએ તે મારું પૂરેપૂરું સન્માન કરે વગેરે વગેરે...

- આ તમામ બાબતો ને લઈ દરેક છોકરા અને છોકરીના મનમાં પ્રબળ આકાંક્ષા હોય છે.
- નવ પરિણીત કપલનું જીવન ખુશખુશાલ રહે તે માટે આજે અમે તમને કેટલીક જ્યોતિષ ટિપ્સ જણાવીશું.
- નવ પરિણીત યુગલ બંને એક-બીજાને લાલ રંગની વસ્તુ ગિફટમાં આપે. લાલ રંગ ખુશાલીનુ પ્રતિક ગણાય છે, પરિણામે લાલ રંગની વસ્તુ ગિફ્ટ કરવાથી તમારો સંબંધ સારો રહે છે.

- સુહાગરાતના દિવસે દૂધમાં થોડી કેસર ભેળવી બંનેએ પીવું જોઈએ. કારણકે દૂધ ચંન્દ્રનો કારક છે અને કેસર ગુરુનો કારક છે. ગ્રહોની આ અનુકૂળતાજળવાઈ રહેવાથી તમારું લગ્ન જીવન સારુ રહે છે.
- બેડ પર ગુલાબી રંગની બેડશીટ પાથરવાથી નવ પરિણીત કપલના સંબંધો મધુર રહે છે.

- જે બેડનો માથાનો ભાગ ઉંચ્ચો કે ભારે હોય તેવા બેડ પર ક્યારેય સૂવું નહિં. આવા બેડ ર સૂવાંથી ઉંઘ સારી નથી આવતી ઉપરાંત બને વચ્ચે હંમેશા તનાવ રહ્યા કરે છે.
- રાતે સૂતાં પેલા વરિયાળી અને સાકરનુ સેવન કરવું. સ્ત્રી-પુરુષ બંને એ સૂર્યોદય પહેલા પથારી છોડી દેવી જોઈએ.

- સ્ત્રીએ પથારીમાંથી ઉઠતી વખતે પહેલો ડાબો પગ જમીન પર મૂકવો ત્યાર બાદ જમણો પગ મૂકવો. ધરતીને પ્રણામ કરી પોતાના દૈનિક કાર્યોની શરૂઆત કરવી.
- નવ પરિણીત કપલે રાત્રે સૂતાં પહેલા પોતાના બેડરૂમમાં કપૂર સળગાવવુ. આમ કરવાથી બેડરૂમની બધીજ નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે.
- જો તમારા બેડરૂમમાં જ ટોયલેટ હોય તો મહેરબાની કરી તેનો દરવાજો હંમેશા બંધ રાખવો. ટોયલેટથી નકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે જેને લીધે હંમેશા તેનો દરવાજો બંધ રાખવો જોઈએ.
- નવ પરિણીત યુગલ સૂતાં પહેલા એક તાંબાના જગમાં પાણી ભરી મૂકી રાખે. સવારે ફ્રેશ થતા પહેલા આ જળ બંને જણા ગ્રહણ કરે.












Click it and Unblock the Notifications
