ગ્રહોને ક્રોધિત કરી શકે છે અસ્ત-વ્યસ્ત કપડા
જો તમારા કપડા અવ્યવસ્થિત હોય, ફાટેલા હોય, ખૂબ જૂના હોય કે સાફ ન હોય તો તમારા ગ્રહો તમારાથી નારાજ થઈ શકે છે. આવો વિસ્તારથી જાણીએ.
નવી દિલ્લીઃ કપડા વ્યક્તિના સ્વભાવ અને તેની સારી અને ખરાબ રીતભાતને છતી કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણને મળે ત્યારે સૌ પ્રથમ આપણે તેના કપડા પરથી અંદાજ લગાવીએ છીએ કે તે સારો છે કે ખરાબ. હકીકતમાં, કપડા જ માણસને સમાજમાં રહેવા માટે યોગ્ય બનાવે છે. જ્યોતિષશાસ્ત્ર એમ પણ કહે છે કે જો તમારા કપડા અવ્યવસ્થિત હોય, ફાટેલા હોય, ખૂબ જૂના હોય કે સાફ ન હોય તો તમારા ગ્રહો તમારાથી નારાજ થઈ શકે છે.

આવો વિસ્તારથી જાણીએ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વસ્ત્રો પર ગુરુ અને શનિનુ શાસન હોય છે. જો તમે ગંદા, ફાટેલા, જૂના કપડા પહેરો છો તો શનિ અને ગુરુ બંને ગ્રહો નારાજ થઈ શકે છે. તેનાથી તમારી આર્થિક પ્રગતિમાં અવરોધ આવી શકે છે, તમારુ સ્વાસ્થ્ય બગડી શકે છે અને તમારા બધા કામ બગડી શકે છે.
કેવા કપડા ન પહેરવા
- ફાટેલા કપડા પહેરવાથી ગરીબી આવે છે.
- જો કપડા સ્વચ્છ ન હોય તો દરેક ક્ષેત્રમાં તમારી પ્રગતિ અટકી શકે છે.
- શનિદેવ ખૂબ જૂના, ઘસાઈ ગયેલા, રંગહીન વસ્ત્રો પહેરવાથી ક્રોધિત થાય છે.
- જો કપડા પર ફોલ્ડ હોય, ખરાબ હોય, ડાઘા હોય તો તે ગુરુની કૃપા અટકી જાય છે.
- બીજાના કપડા બિલકુલ ન પહેરો.
- વ્યક્તિએ બીજાના ચપ્પલ અને જૂતા પણ ન પહેરવા જોઈએ.
કેવા કપડા પહેરવા
- હંમેશા સ્વચ્છ ધોયેલા કપડા પહેરો.
- કપડા હંમેશા પોતાના કદ અને પ્રકાર પ્રમાણે પહેરો. ન તો બહુ ઢીલા કે ન બહુ ચુસ્ત.












Click it and Unblock the Notifications
