Dussehra 2020: આજે દશેરા, જાણો રાવણ વિશે અમુક ચોંકાવનારી વાતો
શું તમે જાણો છે કે દાનવ હોવા છતાં પણ રાવણમાં ઘણી બધી સારી વસ્તુઓ હતી. આવો જાણીએ રાવણ વિશે અમુક ચોંકાવનારી વાતો.
નવી દિલ્લીઃ બુરાઈ પર અચ્છાઈનુ પ્રતીક દશેરા સમગ્ર ભારતમાં ખૂબ ભવ્યતા સાથે મનાવવામાં આવે છે. આ દિવસે ઠેર-ઠેર રાવણનુ પૂતળુ બાળવામાં આવે છે કારણકે રાવણ એક અત્યંત દુષ્ટ રાક્ષક હતો. તેણે છેતરપિંડી કરીને પારકી સ્ત્રીનુ અપહરણ કર્યુ હતુ પરંતુ શું તમે જાણો છે કે દાનવ હોવા છતાં પણ રાવણમાં ઘણી બધી સારી વસ્તુઓ હતી જેના કારણે આજે દેશની ઘણી જગ્યાએ રાવણની પૂજા થાય છે. આવો જાણીએ રાવણ વિશે અમુક ચોંકાવનારી વાતો.

'રામચરિત માનસ'માં રાવણનુ બૃહદ વર્ણન
રાવણ વિશે સૌથી વધુ રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસે લખ્યુ છે, જેમણે પોતાની લેખનીમાં તેને ભગવાન શિવનો બહુ મોટો ભક્ત કહ્યો છે અને તેમના જણાવ્યા મુજબ રાવણમાં ઘણા સારા ગુણો પણ હતા જેને લોકોએ જાણવા ખૂબ જરૂરી છે.

કુશળ રાજનીતિજ્ઞ, સેનાપતિ અને વાસ્તુકાર હતો રાવણ
તુલસીદાસના જણાવ્યા મુજબ દૈત્ય રાવણ એક કુશળ રાજનીતિજ્ઞ, સેનાપતિ અને વાસ્તુકલાનો મર્મજ્ઞ હોવા સાથે સાથે બહુ-વિદ્યાઓનો જાણકાર હતો. તેને વિદ્યાનુ મહત્વ ખબર હતી અને તે એક જ્ઞાની રાક્ષક હતો. રાવણને લોકો બહુ સારે કવિ કહેતા હતા. તેણે ઘણી રચનાઓ પણ લખી હતી.

માયાવી હતો રાવણ
રાવણને માયાવી એટલા માટે કહેવામાં આવતો હતો કારણકે તે ઈન્દ્રજાલ, તંત્ર, સંમોહન અને વિવિધ પ્રકારના જાદૂ જાણતો હતો. એટલુ જ નહિ રાવણ ખૂબ મોટો પંડિત હતો અને આના કારણે ભગવાન રામે તેની પાસે વિજય યજ્ઞ કરાવ્યો હતો.

આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષનો જાણકાર હતો રાવણ
રાવણ આયુર્વેદ, તંત્ર અને જ્યોતિષનો જાણકાર અને વૈજ્ઞાનિ પણ કહેવાય છે. રાવણે તાંડવ સ્ત્રોત, અંક પ્રકાશ, ઈન્દ્રજાલ, કુમારતંત્ર, પ્રાકૃત કામધેનુ, પ્રાકૃત લંકેશ્વર, ઋગ્વેદ ભાષ્ય, રામણીયમ, નાડી પરીક્ષા વગેરે પુસ્તકોની રચના કરી હતી. પૌરાણિક ગ્રંથોમાં પણ વર્ણન છે કે રાવણને ઘણી ભાષાઓનુ જ્ઞાન પણ હતુ.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
