Evil Eye : તમારા બાળક પર પડી છે દુષ્ટ નજર, તો આ રીતે ઉતારો નજર
Evil Eye : બુરી નજર પર વિશ્વાસ કરવો કે ન માનવો એ વ્યક્તિની માન્યતા પર આધાર રાખે છે. પરંતુ કહેવાય છે કે જો કોઈની ખરાબ નજર પડી જાય તો બધું ખતમ થવામાં સમય નથી લાગતો. આજે અમે ખરાબ નજરને દૂર કરવાના 4 ઉપાય જણાવીએ છીએ.
Evil Eye : જ્યારે કોઇ નાનુ બાળક રડે અથવા બિમાર પડે, ત્યારે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, તેને નઝર લાગી ગઇ છે. જે પછી ઘરના વડીલ તેની નઝર ઉતારે છે. આવામાં ઘણા લોકોને નઝર ઉતારતા આવડતી નથી. તો ઘણા લોકો તેને અંધવિશ્વાસ માને છે.
જ્યોતિષ શાસ્ત્રીઓનું માનવું છે કે, દુનિયામાં ઘણી એવી વસ્તુ છે જે વિશે તમે માનો કે ન માનો પણ તે અસ્તિત્વ ધરાવે છે. તેમાંથી એક નકારાત્મક ઊર્જા પણ છે, જેને આપણે નઝર લાગી છે. એમ કહીએ છીએ. જો કોઈની ખરાબ નજર બાળકો પર પડે તો ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આજે આપણે 4 ચોક્કસ ઉપાયો વિશે જણાવીશું, જેનાથી તમે તમારા બાળકની નઝર ઉતારી શકો છો.

ગળામાં કાળો દોરો બાંધો
બાળકને ખરાબ નજરથી બચાવવા માટે તેના ગળામાં કાળો દોરો બાંધવો જોઈએ. કાળા રંગનો દોરો નકારાત્મક ઉર્જા માટે અવરોધ તરીકેકામ કરે છે અને બાળકને કોઈપણ સંભવિત નુકસાનથી બચાવે છે. જો તમે ઈચ્છો તો બાળકના હાથ પર કાળો દોરો પણ બાંધી શકો છો. બંનેકિસ્સાઓમાં અસર સમાન છે.

કપાળ પર કાળા નિશાન લગાવો
નકારાત્મક ઉર્જાથી બચવા માટે બાળકના કપાળની ડાબી બાજુએ કાળી ટીલું લગાવવું શુભ છે. આ ટીલું વટાણાના કદ જેટલી હોવી જોઈએ.તમે બાળકની આંખોમાં કાજલ પણ લગાવી શકો છો. તે બાળકને ખરાબ નજરથી બચાવવામાં પણ મદદ કરે છે.

કપૂરનો ઉપાય
જ્યારે બાળક અચાનક સુસ્ત થઈ જાય, તો તેની ખરાબ નજર દૂર કરવા માટે થાળીમાં કપૂર રાખો અને તેને બાળી લો. આ પછી બાળકનેમાથાથી પગ સુધી 5 વખત ફેરવો. પહેલા પ્લેટને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અને પછી સીધી દિશામાં ફેરવો અને તેને બાજુ પર રાખો. આપછી, પ્લેટમાં કપૂરના કાળા નિશાન પર તમારી આંગળી મૂકો અને તેને બાળકના હાથ અને પગ પર લગાવો.

લાલ મરચું
બાળકની ખરાબ નજર દૂર કરવા માટે, તમારા હાથમાં એક મુઠ્ઠી લાલ મરચાં લો અને તેને ઘડિયાળના કાંટાની દિશામાં બાળકના માથાથીપગ સુધી 5 વખત ફેરવો.
જે બાદ તે મરચાંને સ્ટવ અથવા ગેસ પર સળગવા માટે છોડી દો. જ્યારે તે મરચાં તીવ્ર ગંધ સાથે બળી જાયછે, ત્યારે એવું માનવામાં આવે છે કે, હવે બાળકમાંથી ખરાબ નજર દૂર થઈ ગઈ છે. આ બાળક પરની નઝરને ટાળે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
