Ganesh Visarjan: શું પંચકમાં ન કરવુ જોઈએ ભગવાન ગણેશની પ્રતિમાનુ વિસર્જન? જાણો અહીં
પંચક લાગતા પહેલા જ ભગવાન ગણેશની પૂજા-અર્ચના સાથે તેમનુ વિસર્જન કરી દેવુ જોઈએ?
નવી દિલ્લીઃ દેશભરમાં ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 10 દિવસીય આ તહેવારમાં લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે અને પછી તેમનુ વિસર્જન કરે છે. ગણેશ ચતુર્થી, ગણેશ ઉત્સવ, વિનાયક ચતુર્થી સહિત ઘણા નામોથી આ તહેવારને ઓળખવામાં આવે છે અને અલગ-અલગ જગ્યાએ વિવિધ માન્યતાઓ છે. સામાન્ય રીતે આ ઘણી જગ્યાએ એ ધારણા છે કે પંચક લાગતા પહેલા જ ભગવાન ગણેશની પૂજા-અર્ચના સાથે તેમનુ વિસર્જન કરી દેવુ જોઈએ.

પંચકમાં ગણેશ વિસર્જન
આજે એટલે કે શનિવારે બપોરે 4.30 વાગ્યાથી પંચક લાગવાનુ છે અને ઘણા ક્ષેત્રોમાં ભગવાન ગણેશની મૂર્તિનુ ધામધૂમથી વિસર્જન કરવામાં આવી રહ્યુ છે. જો કે ભગવાન ગણેશની વિદાયમાં પંચકને અડચણ માનવામાં આવતુ નથી પરંતુ ઘણા લોકોમાં એવી માન્યતા છે. ઘણી જ્યોતિષાચાર્યો અને જ્યોતિષ વિશેષજ્ઞોને કહેવુ છે કે શુભ કાર્યો જેવા દેવતાઓની પૂજા અન્ય કાર્યોમાં પંચક પર વિચાર નથી કરવામાં આવતો. શાસ્ત્રોમાં ક્યાંય આ વાતનો ઉલ્લેખ નથી કે શુભ કાર્ય દરમિયાન પંચક અડચણ બને છે. જો કે અમુક કાર્યોમાં પંચકનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
ઘનિષ્ઠા તૃતીય ચરણથી રેવતી નક્ષત્ર સુધી પંચકનો પ્રભાવ માનવામાં આવે છે જ્યારે ચંદ્રમા કુંભ અને મીન રાશિ પર રહે છે ત્યારે એ વખતને પંચક કહેવામાં આવે છે. પ્રભાવ કાળમાં શબના દાહ સંસ્કાર, દક્ષિણ દિશામાં યાત્ર, લાકડા કાપવા, તૃણ તોડવા, લાકડી તેમજ તૃણ એકત્ર કરવા જેવા કાર્યો વર્જિત માનવામાં આવે છે. જ્યારે શુભ કાર્યો, દેવ પૂજન, ગૃહ પ્રવેશ, પ્રતિષ્ઠાનનો શુભારંભ, યજ્ઞોપવિત, વાહન લેવુ,, ધાર્મિક યાત્રાઓ તેમજ શુભ કાર્ય વર્જિત માનવામાં આવ્યા નથી. ભગવાન ગણેશના દસ દિવસીય પર્વ પર વિદાયની વેળામાં તેમના વિસર્જન માટે પંચકને અડચણ માનવી ખોટી ધારણા છે.
ગણેશ આરતી
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા.
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા એક દંત દયાવંત, ચાર ભુજાધારી માથે પે સિંદૂર, મૂસે કી સવારી.
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા અંધન કો આંખ દેત, કોઢીન કો કાયા. બાંજન કો પુત્ર દેત, નિર્જન કો માયા.
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા હાર ચઢે, ફુલ ચઢે ઔર ચઢે મેવા.
લડ્ડુઅન કા ભોગ લગે, સંત કરે સેવા.
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા દીનન કી લાજ રખો, શંભુ સુતવારી.
કામના કો પૂર્ણ કરો, જગ બલિહારી. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો









Click it and Unblock the Notifications
