Ganesh Visarjan: શું પંચકમાં ન કરવુ જોઈએ ભગવાન ગણેશની પ્રતિમાનુ વિસર્જન? જાણો અહીં
પંચક લાગતા પહેલા જ ભગવાન ગણેશની પૂજા-અર્ચના સાથે તેમનુ વિસર્જન કરી દેવુ જોઈએ?
નવી દિલ્લીઃ દેશભરમાં ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 10 દિવસીય આ તહેવારમાં લોકો પોતાના ઘરે ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે અને પછી તેમનુ વિસર્જન કરે છે. ગણેશ ચતુર્થી, ગણેશ ઉત્સવ, વિનાયક ચતુર્થી સહિત ઘણા નામોથી આ તહેવારને ઓળખવામાં આવે છે અને અલગ-અલગ જગ્યાએ વિવિધ માન્યતાઓ છે. સામાન્ય રીતે આ ઘણી જગ્યાએ એ ધારણા છે કે પંચક લાગતા પહેલા જ ભગવાન ગણેશની પૂજા-અર્ચના સાથે તેમનુ વિસર્જન કરી દેવુ જોઈએ.

પંચકમાં ગણેશ વિસર્જન
આજે એટલે કે શનિવારે બપોરે 4.30 વાગ્યાથી પંચક લાગવાનુ છે અને ઘણા ક્ષેત્રોમાં ભગવાન ગણેશની મૂર્તિનુ ધામધૂમથી વિસર્જન કરવામાં આવી રહ્યુ છે. જો કે ભગવાન ગણેશની વિદાયમાં પંચકને અડચણ માનવામાં આવતુ નથી પરંતુ ઘણા લોકોમાં એવી માન્યતા છે. ઘણી જ્યોતિષાચાર્યો અને જ્યોતિષ વિશેષજ્ઞોને કહેવુ છે કે શુભ કાર્યો જેવા દેવતાઓની પૂજા અન્ય કાર્યોમાં પંચક પર વિચાર નથી કરવામાં આવતો. શાસ્ત્રોમાં ક્યાંય આ વાતનો ઉલ્લેખ નથી કે શુભ કાર્ય દરમિયાન પંચક અડચણ બને છે. જો કે અમુક કાર્યોમાં પંચકનુ ધ્યાન રાખવુ જરૂરી છે.
ઘનિષ્ઠા તૃતીય ચરણથી રેવતી નક્ષત્ર સુધી પંચકનો પ્રભાવ માનવામાં આવે છે જ્યારે ચંદ્રમા કુંભ અને મીન રાશિ પર રહે છે ત્યારે એ વખતને પંચક કહેવામાં આવે છે. પ્રભાવ કાળમાં શબના દાહ સંસ્કાર, દક્ષિણ દિશામાં યાત્ર, લાકડા કાપવા, તૃણ તોડવા, લાકડી તેમજ તૃણ એકત્ર કરવા જેવા કાર્યો વર્જિત માનવામાં આવે છે. જ્યારે શુભ કાર્યો, દેવ પૂજન, ગૃહ પ્રવેશ, પ્રતિષ્ઠાનનો શુભારંભ, યજ્ઞોપવિત, વાહન લેવુ,, ધાર્મિક યાત્રાઓ તેમજ શુભ કાર્ય વર્જિત માનવામાં આવ્યા નથી. ભગવાન ગણેશના દસ દિવસીય પર્વ પર વિદાયની વેળામાં તેમના વિસર્જન માટે પંચકને અડચણ માનવી ખોટી ધારણા છે.
ગણેશ આરતી
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા માતા જાકી પાર્વતી, પિતા મહાદેવા.
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા એક દંત દયાવંત, ચાર ભુજાધારી માથે પે સિંદૂર, મૂસે કી સવારી.
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા અંધન કો આંખ દેત, કોઢીન કો કાયા. બાંજન કો પુત્ર દેત, નિર્જન કો માયા.
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા હાર ચઢે, ફુલ ચઢે ઔર ચઢે મેવા.
લડ્ડુઅન કા ભોગ લગે, સંત કરે સેવા.
જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા દીનન કી લાજ રખો, શંભુ સુતવારી.
કામના કો પૂર્ણ કરો, જગ બલિહારી. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
