Gupt Navratri 2020: 25 જાન્યુઆરીથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ, જાણો ખાસ વાતો
ગુપ્ત નવરાત્રીઓ માઘ અને મે અને અષાઢ માસમાં આવે છે. ગુપ્ત નવરાત્રીઓનું મહત્વ ચૈત્ર અને શારદીય નવરાત્રીથી પણ વધુ હોય છે. જાણો કારણ.
નવી દિલ્હીઃ શક્તિ, સાહસ, જ્ઞાન, સૌંદર્ય, મમત્વ અને સુખ પ્રદાન કરનાર દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વર્ષના સૌથી પવિત્ર અને સિદ્ધ દિવસ નવરાત્રીના હોય ચે. નવરાત્રિના નવ દિવસમાં દેવી પોતાના ભક્તો અને સાધકોની નિષ્કામ ભક્તિથી પ્રસન્ન થઈ તેમના પર પૂર્ણ કૃપા વરસાવવા માટે આતુર રહે છે. જે લોકો જીવનમાં ધન, માન, સુખ, સંપત્તિ, વૈભવ અને સાંસારિક સુખ મેળવવા માંગે છે, તેમણે નવરાત્રીમાં દેવીના સિદ્ધ દિવસોમાં સાધના કરવી જોઈએ.

વર્ષમાં 4 નવરાત્રી આવે છે
વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. બે પ્રકટ રૂપમાં અને બે ગુપ્ત રૂપમાં. પ્રકટ રૂપે નવરાત્રીઓ ચૈત્ર અને શારદીય નવરાત્રી કહેવાય છે અને ગુપ્ત નવરાત્રીઓ માઘ અને મે અને અષાઢ માસમાં આવે છે. ગુપ્ત નવરાત્રીઓનું મહત્વ ચૈત્ર અને શારદીય નવરાત્રીથી પણ વધુ હોય છે, કેમ કે આમાં દેવી પોતાના પૂર્ણ સ્વરૂપમાં વિદ્યમાન રહે છે જે પ્રકટ રૂપમાં નથી હોતા. ગુપ્ત નવરાત્રીમાં દેવીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોક્ત અને તાંત્રોક્ત બંને તરફથી પૂજા અને ઉપાય કરવામાં આવે છે. પરંતુ ગુપ્ત નવરાત્રીમાં તાંત્રોક્ત ઉપાય વધુ કરવામાં આવે છે. આમાં સૌથી જરૂરી અને મહત્વપૂર્ણ વાત એ છે કે સાધકોને પૂર્ણ સંયમ, નિયમ અને સુદ્ધતાથી દેવીની આરાધના કરવાની હોય છે.

સર્વાર્થસિદ્ધિ યોગ
વર્ષ 2020ની પ્રથમ ગુપ્ત નવરાત્રી માહ શુક્ પ્રતિપદા 2 જાન્યુઆરી, શનિવારથી પ્રારંભ થઈ રહ્યો છે, જે માહ શુક્લ નવમી 3 ફેબ્રુઆરી સોમવારે પૂર્ણ થશે. ગુપ્ત નવરાત્રિ સામાન્ય રીતે ઉત્તરી ભારત જેવા હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને તેની આસપાસના પ્રદેશોમાં મોટા પાયે ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીમાં પણ નવ દિવસ સુધી ક્રમાનુસાર દેવીના નવ સ્વરૂપની પૂજ કરવામાં આવે છે. નવરાત્રી પ્રારંભ થયાના દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ પણ બની રહ્યો છે, જે શુભકારી યોગ છે.

તંત્ર-મંત્ર સિદ્ધિ માટે ખાસ દિવસ
જે સાધક તંત્ર-મંત્રની સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગે છે તેમના માટે ગુપ્ત નવરાત્રીનો દિવસ બહુ ખાસ હોય છે. આમાં તે સાધકો ગુપ્ત સ્થાન પર રહેલ દેવીના વિવિધ સ્વરૂપોની સાથે દસ મહાવિદ્યાઓની સાધનામાં લીન રહે છે.
ગૃહસ્થો માટે વિશેષ
ગૃહસ્થ સાધક જે સાંસારિક વસ્તુઓ, ભોગ-વિલાસના સાધન, સુખ-સ્મૃદ્ધિ અને નિરોગી જીવન પામવા માંગે છે તેમણે આ નવ દિવસમાં દુર્ગાસપ્તશતીનો પાઠ કરવો જોઈએ. જો આટલો સમય ના હોય તો સપ્તશ્લોકી દુર્ગાનો પ્રતિદિન પાઠ કરો. દેવીને પ્રસન્ન કરવા માટે વધુ સાધનાની પૂર્ણતા માટે નવ દિવસમાં લોભ, ક્રોધ, મોહ, કામ-વાસનાથી દૂર રહેતા માત્ર દેવીનું ધ્યાન ધરવું જોઈએ. કન્યાઓને ભોજન કરાવો, તેમને યથાશક્તિ દાન-દક્ષિણા, વસ્ત્ર ભેટ કરો.

આ છે નવ દિવસ
25 જાન્યુઆરી શનિવાર- પ્રતિપદા- ઘટ સ્થાપના અને મા શૈલપુત્રીની પૂજા
26 જાન્યુઆરી રવિવાર- દ્વિતીયા- મા બ્રહ્મચારિણી પૂજન
27 જાન્યુઆરી સોમવાર- તૃતીયા અહોરાત્ર, રવિયોગ
28 જાન્યુઆરી મંગળવાર- તૃતીયા- મા ચંદ્રઘંટા પૂજા, ગૌરી તૃતીયા
29 જાન્યુઆરી બુધવાર- મા કુષ્માંડા પૂજા, રવિયોગ
30 જાન્યુઆરી ગુરુવાર- મા સ્કંદમાતા પૂજા, વસંદ પંચમી, સરસ્વતી પૂજન, બુધ ઉદય પશ્ચિમમાં
31 જાન્યુઆરી શુક્રવાર- મા કાત્યાયની પૂજા, શનિ ઉદય, અમૃત સિદ્ધિ યોગ
1 ફેબ્રુઆરી શનિવાર- મા કાલરાત્રિ પૂજા, નર્મદા જયંતી, રથ આરોગ્ય સપ્તમી
2 ફેબ્રુઆરી રવિવાર- મા મહાગૌરી પૂજા, દુર્ગા અષ્ટમી, ભીષ્માષ્ટમી
3 ફેબ્રુઆરી સોમવાર- મા સિદ્ધિદાત્રી પૂજા, નવરાત્રી પૂર્ણાહુતિ.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી












Click it and Unblock the Notifications
