Hanuman Ji Ni Arti: બધા સંકટ હરી લે છે બજરંગ બલી, અહીં વાંચો આરતી

Hanuman Ji Ni Arti: બધા સંકટ હરી લે છે બજરંગ બલી, અહીં વાંચો આરતી

ભગવાન રામના અનન્ય સેવાક પવન પુત્ર એટલે કે શ્રી હનુમાનજી પોતાના ભક્તો પર આવતા બધા જ સંકટનો નાશ કરે છે અને આ કારણે જ તેમને સંકટ મોચક કહેવાય છે. પ્રત્યેક ભક્તોએ હનુમાનજીની પૂજા કર્યા બાદ અંતમાં દરરોજ તેમની આરતી કરવી જોઈએ.

aarti

આરતી

આરતી કીજૈ હનુમાન લલા કી, દુષ્ટ દલન રઘુનાથ કલા કી
જાકે બલ સે ગિરિવર કાંપે, રોગ દોષ જાકે નિકટ ન ઝાંકે
અનજાની પુત્ર મહાબલદાયી, સંતાન કે પ્રભુ સદા સદાઈ
દે બીરા રઘુનાથ પઢાએ, લંકા જારી સિયા સુધ લાએ
લંકા સો કોટ સમુદ્ર સી ખાઈ, જાત પવનસુત બાર ન લાઈ
લંકા જારી અસુર સંહારે, સિયારામજી કે કાજ સંવારે
લક્ષ્મણ મૂર્છિત પડે સંહારે, આણિ સંજીવન પ્રાણ ઉબારે
પૈઢી પતાલ તોરિ જમ કારે, અહિરાવણ કી ભુજા ઉખાડે
બાએં ભુજા અસુરદલ મારે, દાહિને ભુજા સંતજન તારે
સુર-નરૃ-મુનિ-જન આરતી ઉતારે, જૈ જૈ જૈ હનુમાન ઉચારે
કંચન થાક કપૂર લૌ છાઈ, આરતી કરત અંજના માઈ
લંકવિધ્વંસ કીન્હ રઘુરાઈ, તુલસીદાસ પ્રભુ કીરતિ ગાઈ
જો હનુમાન જી કી આરતી ગાવૈ, બસી બૈકુંઠ પરમપદ પાવૈ
આરતી કીજૈ હનુમાન લલા કી, દુષ્ટ દલન રઘુનાથ કલાક કી.

હનુમાનજીની આરતીનું મહત્વ

હનુમાન જીની પૂજા કરવાથી ભક્તોના બધા જ દુખનો અંત આવે છે. તેમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. હનુમાન જી પોતાના દરેક ભક્તને વધુમાં વધુ પ્રેમ કરે છે અને આ કારણે તેઓ પોતાના કોઈપણ ભક્તને કષ્ટમાં ન જોઈ શકે. માટે પ્રત્યેક ભક્તે હનુમાન લલાની મનથી પૂજા કરવી જોઈએ. હનુમાન જીની આરતી કરવાથી માણસ ભયમુક્ત થઈ જાય છે. શાસ્ત્રો મુજબ જો તમે કોઈ રોગનું નિદાન ઈચ્છતા હોવ તો, તમારે હનુમાન જીની આરતી કરવી જોઈએ. તેમના પાઠથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. એટલું જ નહીં, જે માણસ હનુમાન જીની આરતી નિયમિત રૂપે કરે છે, તેમનો પરમ ધામ જવાનો માર્ગ સરળ થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X