ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ?
ગુજરાતના ઓટોમોબાઈલ સેક્ટર માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટાટા મોટર્સે તેના સાણંદ સ્થિત પ્લાન્ટમાં વાહનોનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
ટાટા મોટર્સ પોતાના સાણંદ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઉત્પાદનમાં 50 ટકા સુધીનો કાપ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. માર્કેટમાં બદલાતી માંગને જોતા આ નિર્ણય લેવાયો છે.

વૈશ્વિક સ્તરે છવાયેલી મંદી અને ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના ભૌગોલિક તણાવની અસર હવે ઉદ્યોગો પર દેખાઈ રહી છે. આ યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાતા ઉત્પાદન પર અસર પડી છે.
ઓટોમોબાઈલ ક્ષેત્રમાં આવેલી સુસ્તીને કારણે બજારમાં વાહનોની માંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે કંપનીએ પ્રોડક્શન કેપેસિટી ઘટાડવાનો વ્યૂહાત્મક નિર્ણય લીધો છે.
સાણંદ પ્લાન્ટ ટાટા મોટર્સ માટે પેસેન્જર વ્હીકલનું મહત્વનું હબ માનવામાં આવે છે. ઉત્પાદનમાં આટલો મોટો ઘટાડો થવાથી સ્થાનિક રોજગારી પર પણ અસર પડી શકે છે.
રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ આ ઓપરેશનલ ફેરફાર બજારની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કર્યો છે. આ એડજસ્ટમેન્ટથી મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેટેજીમાં મોટા ફેરફારો જોવા મળશે.
જોકે, ઉત્પાદનમાં ઘટાડા અંગે ટાટા મોટર્સ દ્વારા હજુ કોઈ સત્તાવાર વિસ્તૃત વિગત આપવામાં આવી નથી. હાલમાં માત્ર પુરવઠા અને માંગના સંતુલન પર ધ્યાન અપાઈ રહ્યું છે.












Click it and Unblock the Notifications
