ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર
વર્ષ 2025ના ચોમાસામાં થયેલા ભારે વરસાદને કારણે ગુજરાતના મુખ્ય જળાશયોમાં પાણીનો પર્યાપ્ત જથ્થો સંગ્રહિત છે. જળસંપત્તિ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ઉનાળામાં પીવા અને સિંચાઈ માટે પાણીની કોઈ અછત સર્જાશે નહીં.
રાજ્યમાં સરેરાશ 128% થી વધુ વરસાદ નોંધાતા ડેમોની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. 5 માર્ચ, 2026 સુધીમાં રાજ્યના મુખ્ય જળાશયોમાં કુલ 6,46,556 MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 72.49% છે.

ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જળસંગ્રહની સ્થિતિ વધુ સારી જોવા મળી રહી છે. અત્યારે રાજ્યના ડેમોમાં ગત વર્ષ કરતા લગભગ 4% વધુ પાણી ઉપલબ્ધ છે, જે રાહતના સમાચાર છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 2.47 લાખ MCFT થી વધુ પાણીનો જથ્થો છે. નર્મદા ડેમ અત્યારે તેની કુલ સંગ્રહ શક્તિના 74% થી વધુ ભરાયેલો જોવા મળી રહ્યો છે.
વિભાગીય યાદી મુજબ દક્ષિણ ગુજરાતના ડેમોમાં સૌથી વધુ 2.34 લાખ MCFT પાણીનો સંગ્રહ થયો છે. જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયોમાં પણ પાણીની સ્થિતિ ઘણી સંતોષજનક જોવા મળી રહી છે.
ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં પણ ગત વર્ષની સરખામણીએ પાણીની આવક સારી રહી છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં સંગ્રહિત આ પાણી આગામી ચોમાસા સુધી પૂરતું થઈ રહેશે.












Click it and Unblock the Notifications
