ભગવાન ગણેશને આપ્યો દંડ, ધરતી પર છે જીવિત, જાણો પરશુરામ ભગવાનની પૌરાણિક કથાઓ
ભગવાન ગણેશને આપ્યો દંડ, ધરતી પર છે જીવિત, જાણો પરશુરામ ભગવાનની પૌરાણિક કથાઓ
હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે. આ શુભ દિવસ આજે 14 મે 2021ના રોજ છે. આજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. ભગવાન પરશુરામનો જન્મ ત્રેતા યુગમાં થયો હતો. તેમના પિતા ઋષિ જમદગ્નિ અને માતા રેણુકા હતાં. હિન્દુ શાસ્ત્રો મુજબ ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર માનવામાં આવે છે. પરશુરામ જયંતીના દિવસે ભગવાન પરશુરામની વિધિ-વિધાનથી પૂજા થાય છે. હિન્દુ શાસ્ત્રો મુજબ પરશુરામ પોતાના માતા-પિતાના એક આજ્ઞાકારી પુત્ર હતા પરંતુ ઉગ્ર સ્વભાવના પણ હતા. આવો જાણીએ ભગવાન પરશુરામ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ.

ખુદની માતાનો વધ કર્યો
પૌરાણિક કથાઓ મુજબ ભગવાન પરશુરામ રેણુકા અને ઋષિ જમદગ્નિના ચોથા સંતાન હતા. તેઓ એટલા આજ્ઞાકારી હતા કે તેમણે પોતાના જ પિતાના કહેવા પર ખુદની માતાનો વધ કરી નાખ્યો હતો. પિતાના આદેશ બાદ ભગવાન પરશુરામે પોતાની મા રેણુકાનું માથું થડથી અલગ કરી દીધું હતું. જે બાદ પરશુરામે ભગવાન શિવની તપસ્યા કરી માતૃ-હત્યાના પાપથી મુક્તિ મેળવી લીધી હતી. તપસ્યાથી ખુશ થી ભગવાન શિવે ભગવાન પરશુરામ ત્.યુલોકના કલ્યાણાર્થે પરશુ અસ્ત્ર આપ્યું હતું. આ કારણે જ તેમને પરશુરામ કહેવાય છે.

ભગવાન ગણેશને દંડિત કર્યા હતા
ન્યાયના ભગવાન કહેવાતા પરશુરામે એકવાર ભગવાન ગણેશને પણ દંડ આપ્યો હતો. પુરાણ મુજબ એકવાર ભગવાન પરશુરામ ભગવાન શિવને મળવા કૈલાશ પર્વત ગયા હતા. પરંતુ ભગવાન ગણેશે તેમને ભગવાન શિવ સાથે મળવા ના દીધા. આ વાતથી ક્રોધિત થઈ પરશુરામે કુવાડાથી ભગવાન ગણેશનો એક દાંત તોડી મૂક્યો હતો. જે બાદથી જ ગણેશ એકદંત કહેવાય છે.

ભગવાન પરશુરામને ભાર્ગવ કેમ કહેવાય છે?
કહેવાય ચે કે ભગવાન પરશુરામે જ ભારતના લગભગ બધાં જ ગામ વસાવ્યાં હતાં. પૌરાણિક કથાઓ મુજબ ભગવાન પરશુરામે જ વહાણ ચલાવી ગુજરાતથી લઈ કેરળ સુધી સમુદ્રને પાછળ ધકેલી દીધો હતો. જેનાથી નવી નવી ભૂમિ મળી હતી. માટે તેમને ભાર્ગવ નામે પણ ઓળખવામાં આવે છે. ભાર્ગવ ઉપરાંત ભગવાન પરશુરામને ભૃગપતિ, રામભદ્ર, ભૃગવંશી નામથી પણ ઓળખવામાં આવે છે.

પરશુરામ આજે પણ ધરતી પર જીવિત છે
હિન્દુ માન્યતાઓ મુજબ કહેવાય છે કે પરશુરામ હરેક યુગમાં હાજર રહ્યા છે. ભગવાન પરશુરામ સાત ચિરંજીવી લોકોમાં એક છે. માટે એવું કહેવાય છે કે તેઓ આજે પણ ધરતી પર જીવિત છે. પરશુરામ ત્રેતાયુગથી લઈ દ્વાપરયુગમાં પણ હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
