Chandra Grahan 2023: 130 વર્ષ પછી બુદ્ધ પૂર્ણિમાના દિવસે લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો સારુ છે કે ખરાબ?
Chandra Grahan 2023(બુદ્ધ પૂર્ણિમા): આજે વૈશાખ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થઈ રહ્યુ છે અને આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે, તેથી આ ગ્રહણનુ મહત્વ અનેક ગણુ વધી ગયુ છે. તમને જાણીને નવાઈ લાગશે કે બુદ્ધ પૂર્ણિમા અને ચંદ્રગ્રહણનો સંયોગ 130 વર્ષ પછી આવ્યો છે.
આ સંયોગનો સૌથી મોટો ફાયદો મીન રાશિના લોકોને થવાનો છે. આ ગ્રહણ પર તેમને ઘણો આર્થિક લાભ મળી શકે છે. આ સંયોગ બધી રાશિઓ માટે સકારાત્મક રહેશે અને બધા માટે શુભ છે.
Chandra Grahan 2023: ભારતના આ શહેરોમાં આજે દેખાશે વર્ષનુ પહેલુ ચંદ્ર ગ્રહણ, અહીં જાણો સમય
એવું માનવામાં આવે છે કે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી જ દર વર્ષે આ દિવસ તેમની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બોધગયામાં ખાસ આયોજન થાય છે અને બોધિ વૃક્ષની પૂજા કરવામાં આવે છે. દેશમાં ઘણી જગ્યાએ, બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે અને ભગવાન દ્વારા આપવામાં આવેલ ઉપદેશોને યાદ કરે છે.
બીજી તરફ હિન્દુ ધર્મના લોકો ગૌતમ બુદ્ધને ભગવાન વિષ્ણુનો અવતાર માને છે. એટલા માટે આ દિવસ તેમના માટે પણ ખાસ છે. ઘણા લોકો આ દિવસે પૂર્ણિમાના ઉપવાસ રાખે છે અને દેવી લક્ષ્મીની સાથે ગૌતમ બુદ્ધ અને ચાંદની પૂજા કરે છે.
Chandra Grahan 2023: આજે ચંદ્ર ગ્રહણ, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોશો લાઈવ પ્રસારણ
હિન્દુ પંચાંગ અનુસાર ગઈકાલે રાત્રે 11.45 વાગ્યે પૂર્ણિમાનો પ્રારંભ થયો હતો, પરંતુ શુક્રવારે સવારથી જ ઉદયા તિથિ માનવામાં આવી છે, તેથી આજે જ પૂર્ણિમાનુ વ્રત રાખવામાં આવશે. પૂર્ણિમાનો અંત આજે રાત્રે 11.05 કલાકે થશે.
ચંદ્રગ્રહણ પછી ચંદ્રની સ્તુતિ કરવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે અને તેના દુઃખોનો પણ અંત આવે છે.
Today's IPL 2023 Match: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - GT vs RR
क्षीरोदार्णवसम्भूत आत्रेयगोत्रसमुद्भव: |
गृहाणार्ध्यं शशांकेदं रोहिण्यसहितो मम ।।
ॐ श्री चन्द्रमसे नमः
अस्य श्री चन्द्र कवच स्तॊत्र महा मंत्रस्य, गौतम ऋषि:, अनुष्टुप छंद:, श्री चन्द्रो दॆवता | चन्द्र: प्रीत्यर्थॆ जपॆ विनियॊग: ॥