નાગપંચમી 2019: 5 ઓગસ્ટે 125 વર્ષ પછી બનશે દુર્લભ સંયોગ
ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે. હિંદુ ધર્મમાં માનનારા લોકો માટે શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ આ મહિનામાં શિવલિંગમાં વાસ કરે છે.
ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ ચાલી રહ્યો છે. હિંદુ ધર્મમાં માનનારા લોકો માટે શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ આ મહિનામાં શિવલિંગમાં વાસ કરે છે. અઠવાડિયાના સોમવાર ભગવાન શિવજીને સમર્પિત માનવામાં આવ્યા છે અને શ્રાવણમાં આ દિવસની માન્યતા વધુ વધે છે. શ્રાવણ મહિનો આવતાની સાથે જ ભારતીય તહેવારો પણ શરૂ થઈ જાય છે. શ્રાવણમાં નાગ પંચમીનો પર્વ પણ મનાવવામાં આવે છે.

નાગપંચમી પર 125 વર્ષ પછી દુર્લભ યોગ બનશે
આ વખતે નાગપંચમી પર ખૂબ જ દુર્લભ યોગ બનશે. 125 વર્ષ પછી લોકોને આવો ખાસ યોગ મળવાનો છે. નાગપંચમી વર્ષ 2019 ના શ્રાવણના ત્રીજા સોમવારે રહેશે. શ્રાવણના સોમવારને કારણે નાગપંચમી પર્વની મહત્તા અનેકગણી વધશે. શ્રાવણના માસના સોમવારના દિવસે નાગપંચમી હોવું ખૂબ જ દુર્લભ હોય છે. એટલું જ નહીં, આ સંયોગથી સંજીવની મહાયોગ બનશે. આ વર્ષે શ્રાવણનો ત્રીજો સોમવાર અને નાગપંચમી શ્રાવણ મહિનાના શ્રેષ્ઠ મુહૂર્તમાં આવી રહી છે. આ પ્રસંગે, પૂર્ણા તિથિ થશે, તેમજ સોમનું નક્ષત્ર હસ્ત પણ હાજર હશે. સિધ્ધિ યોગ સાથે આ વર્ષની શ્રેષ્ઠ પંચમી તિથિ હશે.

નાગદેવની પૂજા
ભગવાન શિવ નાગને તેમના ઘરેણાં તરીકે ધારણ કરે છે. શ્રાવણ માસના શુક્લ પક્ષની પંચમી એ નાગ દેવની પૂજા કરવાનો રિવાજ છે. નાગપંચમીના દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે અને શ્રાવણનો સોમવાર હોવાની સ્થિતિમાં લોકો તેમનો આશીર્વાદ લેવા માટે શિવાલય પણ જાય છે. આ દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો. કાલસર્પ દોષની પૂજા કરવા માટે પણ ખૂબ જ શુભ યોગ હશે.

નાગ પંચમી તિથિ અને શુભ મુહૂર્ત
આ વર્ષે પંચમી તિથિ 4 ઓગસ્ટના રોજ સાંજે 6.48 વાગ્યેથી શરૂ થશે અને 5 ઓગસ્ટે બપોરે 2.52 વાગ્યા સુધી રહેશે. 5 ઓગસ્ટના રોજ નાગપંચમીની પૂજા કરવાનો શુભ સમય સવારે 5:49 અને 8:28 ની વચ્ચે રહેશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
