માતાના નવમાં સ્વરૂપ સિદ્ધિદાત્રીની કરો પૂજા અને મેળવો સિદ્ધિ
નવરાત્રીના અંતિન દિવસે માં સિદ્ધિદાત્રીની પુજા કરવામાં આવે છે. માં સિદ્ધિદાત્રીની પૂજા કરનાર જાતકોને માં વિશ્વમાં સિદ્ધિ આપે છે. આ અંગે વધુ વાંચો અહીં
21 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. જેમાં નવરાત્રીના નવે દિવસ માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે. જેમાં માતાનું પહેલુ રૂપ એટલે શૈલપુત્રી, બીજુ રૂપ એટલે ચંદ્ર ઘંટા, ચોથુ રૂપ એટલે કૂષ્માન્ડા, પાંચમું રૂપ એટલે સ્કંદમાતા, છઠ્ઠુ રૂપ એટલે કાત્યાયની, સાતમુ રૂપ એટલે કાલરાત્રી, આઠમું રૂપ એટલે મહાગૌરી, નવમું રૂપ એટલે સિદ્ધિદાત્રી. આજે આપણે વાત કરીશુ માતાના નવમાં રૂપ સિદ્ધિદાત્રી વિશે.

નવરાત્રીના નવમો દિવસ
નવરાત્રીના નવમાં દિવસ માતા સિદ્ધિદાત્રીનો પૂજા કરવામાં આવે છે માં નુ રૂપ ખુબ જ મોહક છો. તેઓ કમળના અસન પર બિરાજમાર છે અને સિંહ તેમનું વાહક છે, માં સિદ્ધિદાત્રી તેમાના નામ પ્રમાણે જ જાતકને સિદ્ધિ પ્રદાન કરે છે. તેની ઉપાસના કરવાથી વ્યક્તિના જીવનમાં રહેલી નિરાશાનો અંત આવે છે.

સિદ્ધિદાત્રીનું સ્વરૂપ
માતાના જમણા અને નીચે વાળા હાથમાં ચક્ર, ઉપરના હાથમાં ગદા, ડાબા અને નીચે વાળા હાથમાં શંખ અને ઉપરના હાથમાં કમળ પુષ્પ છે. ભગવતીના આ સ્વરૂપની આપણે નવરાત્રીના અંતિમ દિવસે આરાધના કરીએ છીએ. માતા દુર્ગાનું આ સ્વરૂપ શતાવરી અને નારાયણીના નામે પણ કહેવાય છે.

આ શ્લોકથી કરો માતાની પૂજા
દરેક પ્રકારની સિદ્ધિઓ અપાવનાર સિદ્ધિદાત્રીની પૂજા આ શ્લોક દ્વારા કરવી જોઈએ.
देवी सर्वभूतेषु माँ सिद्धिदात्री रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।
એટલે કે માતા સર્વ તરફ વિરાજમાન છે અને માતા સિદ્ધિદાત્રીના રૂપમાં પ્રસિદ્ધિ અંબા, તમને મારા વારંવાર પ્રણામ છે. હે માતા મને તમારી કૃપાને પાત્ર ગણો.

બ્રહ્માંડ પર વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય મળે છે
માતા તમામ સિદ્ધિઓ દેનારી છે. નવદુર્ગાઓમાં માતા સિદ્ધિદાત્રી અંતિમ છે. નવરાત્રી પૂજનના નવમાં દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠા સાથે સાધના કરનારા જાતકોને જીવનમાં તમામ સિદ્ધિઓ હાંસલ થાય છે. દુનિયામાં કંઈ પણ તેની માટે મુશ્કેલ રહેતુ નથી. બ્રાહ્માંડ પર વિજય પ્રાપ્ત કરવાનીનું સામર્થ્ય તેને હાંસલ થાય છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
