Pitru Paksha 2022: 10 સપ્ટેમ્બરથી શરુ થઈ રહ્યા છે શ્રાદ્ધ, પિતૃઓની તૃપ્તિ માટે કરો તિથિ પર તર્પણ

પિતૃઓની શાંતિ માટે તર્પણ, પિંડ દાન, શ્રાદ્ધ, દાન વગેરે કરવા માટે શ્રાદ્ધ પક્ષ શ્રેષ્ઠ સમય છે.

નવી દિલ્લીઃ પિતૃઓની શાંતિ માટે તર્પણ, પિંડ દાન, શ્રાદ્ધ, દાન વગેરે કરવા માટે શ્રાદ્ધ પક્ષ શ્રેષ્ઠ સમય છે. ભાદ્રપદ પૂર્ણિમાથી અશ્વિન અમાવસ્યા સુધી વર્ષના આ 16 દિવસોમાં પિતૃઓ પૃથ્વી પર નિવાસ કરે છે અને પિતૃઓ પાસેથી અન્ન, જળ લઈને શુભ આશીર્વાદ આપે છે. શ્રાદ્ધ પદ પૂર્ણિમા 10મી સપ્ટેમ્બર 2022થી શરૂ થશે અને 25મી સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાસના રોજ પૂર્ણ થશે. જેમાં પિતૃઓની મૃત્યુ તિથિ અનુસાર દરરોજ અલગ-અલગ તિથિએ શ્રાદ્ધ કરવામાં આવે છે.

અલગ-અલગ તિથિઓમાં કરવામાં આવે છે શ્રાદ્ધ

અલગ-અલગ તિથિઓમાં કરવામાં આવે છે શ્રાદ્ધ

શ્રાદ્ધ પક્ષના દરેક દિવસે અલગ-અલગ તારીખે શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ એ જ તિથિએ શ્રાદ્ધ પક્ષમાં કરવામાં આવે છે, જે કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુની તારીખ હોય. જે સંબંધીઓની મૃત્યુની તારીખ પૂર્ણિમાના દિવસે આવે છે તેમના શ્રાદ્ધ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. જેમને તેમના મૃત પૂર્વજોની મૃત્યુની તારીખ ખબર નથી તેઓ સર્વપિતૃ અમાવસના દિવસે શ્રાદ્ધ કરે છે.

કયા દિવસે કોનુ શ્રાદ્ધ થશે

કયા દિવસે કોનુ શ્રાદ્ધ થશે

  • 10મી સપ્ટેમ્બરે પૂર્ણિમાનુ શ્રાદ્ધ
  • 11મી સપ્ટેમ્બરે પ્રતિપદાનુ એકોદિષ્ઠ શ્રાદ્ધ,પછી દ્વિતિયાનુ શ્રાદ્ધ
  • 12 સપ્ટેમ્બર તૃતીયા શ્રાદ્ધ
  • 13 સપ્ટેમ્બર ચતુર્થી શ્રાદ્ધ
  • 14 પંચમી શ્રાદ્ધ, ભરણી શ્રાદ્ધ
  • 15 સપ્ટેમ્બર સવારે 11 વાગ્યા પછી ષષ્ઠી શ્રાદ્ધ
  • 16 સપ્ટેમ્બર 12.20 વાગ્યા પછી સપ્તમીનુ પાર્વણ શ્રાદ્ધ
  • 17 સપ્ટેમ્બર સપ્તમી એકોદિષ્ઠ શ્રાદ્ધ

25 સપ્ટેમ્બરે પિતૃપક્ષ પૂર્ણ

25 સપ્ટેમ્બરે પિતૃપક્ષ પૂર્ણ

  • 18 સપ્ટેમ્બર અષ્ટમી શ્રાદ્ધ
  • 19મી નવમી શ્રાદ્ધ
  • સૌભાગ્યવતી શ્રાદ્ધ
  • 20 સપ્ટેમ્બર દશમી શ્રાદ્ધ
  • 21 સપ્ટેમ્બર એકાદશી શ્રાદ્ધ
  • 22મી સપ્ટેમ્બરે દ્વાદશીનુ શ્રાદ્ધ
  • 23મી સપ્ટેમ્બરે સાધુઓનું શ્રાદ્ધ
  • 24મી સપ્ટેમ્બરે ત્રયોદશીનુ શ્રાદ્ધ
  • 25 સપ્ટેમ્બર સર્વ પિતૃ અમાસ, અમાસનુ શ્રાદ્ધ, પિતૃ પક્ષ પૂર્ણ.
દૂર્ઘટનામાં મૃતનુ શ્રાદ્ધ ચતુર્દશીએ કરવુ

દૂર્ઘટનામાં મૃતનુ શ્રાદ્ધ ચતુર્દશીએ કરવુ

શ્રાદ્ધ પક્ષની ચતુર્દશીના દિવસે એવા મૃતકોનુ શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનુ શસ્ત્રથી, અકસ્માતથી કે અકાળ મૃત્યુ થયુ હોય પછી ભલે તેમના મૃત્યુની તારીખ અલગ હોય. સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ એવા તમામ મૃતકો માટે કરવામાં આવે છે જેમની મૃત્યુ તારીખ જાણીતી નથી. આ દિવસે જાણ્યે-અજાણ્યે તમામ પિતૃઓનુ શ્રાદ્ધ કરી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X