મૃત્યુ ભોજન ખાવુ જોઈએ કે નહીં? જાણો શું કહે છે ગરૂડ પુરાણ?
ગરૂડ પુરાણમાં મૃત્યુ સાથે જોડાયેલા ઘણા રહસ્યોના જવાબ મળે છે. ભારતીય પંરપરામાં મૃત્યુ બાદ જીવની ગતિ વિશે ગરૂડ પુરાણ ઘણુ કહે છે.
ભારતીય પરંપરામાં મૃત્યુ બાદ આત્માની શાંતિ માટે બારમા અને તેરમાના દિવસે મૃત્યુ ભોજનનું આયોજન કરાય છે. ઘણા લોકો તેને ખાવુ પાપ માને છે.

હિંદુ ધર્મના16 સંસ્કારોમાં અંતિમ સંસ્કાર છેલ્લો સંસ્કાર છે. માત્ર બ્રાહ્મણોને જ બારમા દિવસે ખાવાની મંજૂરી છે. બ્રાહ્મણો માટે સામર્થ્ય પ્રમાણે જમણનું આયોજન કરવા અને મૃતકોની શાંતિ માટે દાન આપવાનું કહેવાયું છે.
ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે કે મૃત્યુ પછી આત્મા તેર દિવસ સુધી તેના પરિવારના સભ્યો વચ્ચે રહે છે. આ પછી તેની બીજી દુનિયાની સફર શરૂ થાય છે. તેરમા દિવસે ભોજન પીરસવાનું પુણ્ય મૃત આત્માને મળે છે. આ મૃત આત્માના મૃત્યુ પછીની સફરને અસર કરે છે.
ગરુડ પુરાણ અનુસાર, મૃત્યુ ભોજન માત્ર ગરીબો અને બ્રાહ્મણો માટે જ યોજવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકો તેમાંથી ખાઈ શકે છે, પરંતુ જો કોઈ ધનવાન વ્યક્તિ ખાય તો તે ગરીબોનો અધિકાર છીનવી લેવા જેવો ગુનો ગણાય છે.
મહાભારત અનુસાર, મૃત્યુ ભોજન ખાવાથી વ્યક્તિ પર વિપરીત અસર થાય છે. જે વ્યક્તિ મૃત્યુ ભોજન ખાય છે તેની શક્તિ નાશ પામે છે.
જણાવી દઈએ કે, ભારતીય પરંપરાઓમાં લગ્નથી લઈને મોત સુધી હજારો પરંપરાઓ જોવા મળે છે. આ પરંપરાઓ સદીઓથી ચાલી આવી છે અને આજે પણ અનુસરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
