Shradh Paksha 2021: 20 સપ્ટેમ્બરથી શરૂ થશે શ્રાદ્ધ પક્ષ, 6 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસ
ભાદરવા મહિનાની પૂનમથી આસો મહિનાની અમાસ સુધીનો સમય પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે. જાણો ક્યારે શરૂ થાય છે શ્રાદ્ધ.
નવી દિલ્લીઃ ભાદરવા મહિનાની પૂનમથી આસો મહિનાની અમાસ સુધીનો સમય પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે. આ સમયે પૃથ્વીવાસી પોતાના મૃતક પૂર્વજો(પિતૃ) માટે પિંડદાન, તર્પણ, દાન વગેરે કર્મ કરીને તેમના પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરે છે. આ વર્ષે 20 સપ્ટેમ્બર, 2021 સોમવારે પૂનમના શ્રાદ્ધથી પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધનો પ્રારંભ થશે જે 6 ઓક્ટોબર, 2021ના રોજ સર્વપિતૃ અમાસ પર પૂર્ણ થશે. આ વર્ષે શ્રાદ્ધ પક્ષ 17 દિવસનુ રહેશે. પંચમીનુ શ્રાદ્ધ બે દિવસ 25-26 સપ્ટેમ્બરે કરવામાં આવશે.
શ્રાદ્ધ પક્ષમાં રોજ અલગ-અલગ તિથિઓમાં શ્રાદ્ધ કરવામાં આવે છે. સ્વજનોની જે મૃત્યુ તિથિ હોય, શ્રાદ્ધ પક્ષમાં એ તિથિ પર શ્રાદ્ધ કરવામાં આવે છે. જે સ્વજનોની મૃત્યુ તિથિ પૂર્ણિમા હોય તેનુ શ્રાદ્ધ ભાદરવા મહિનાની પૂનમના દિવસે કરવામાં આવે છે. આ રીતે તિથિવાર શ્રાદ્ધ કરવામાં આવે છે. જે લોકોએ પોતાના મૃત પૂર્વજોની મૃત્યુ તિથિ ખબર ન હોય તે સર્વપિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરે છે.
કયા દિવસે કયુ શ્રાદ્ધ હશે
20
સપ્ટેમ્બર
પૂનમનુ
શ્રાદ્ધ
21
સપ્ટેમ્બર
પ્રતિપદાનુ
શ્રાદ્ધ
22
સપ્ટેમ્બર
દ્વીતિયાનુ
શ્રાદ્ધ
23
સપ્ટેમ્બર
તૃતીયાનુ
શ્રાદ્ધ
24
સપ્ટેમ્બર
ચતુર્થીનુ
શ્રાદ્ધ
25-26
સપ્ટેમ્બર
પંચમીનુ
શ્રાદ્ધ
27
સપ્ટેમ્બર
ષથ્ઠીનુ
શ્રાદ્ધ
28
સપ્ટેમ્બર
સપ્તમીનુ
શ્રાદ્ધ
29
સપ્ટેમ્બર
અષ્ટમીનુ
શ્રાદ્ધ
30
સપ્ટેમ્બર
નવમીનુ
શ્રાદ્ધ,
સૌભાગ્યવતીનુ
શ્રાદ્ધ
1
ઓક્ટોબર
દશમીનુ
શ્રાદ્ધ
2
ઓક્ટોબર
એકાદશીનુ
શ્રાદ્ધ
3
ઓક્ટોબર
દ્વાદશીનુ
શ્રાદ્ધ,
સન્યાસીઓનુ
શ્રાદ્ધ
4
ઓક્ટોબર
ત્રયોદશીનુ
શ્રાદ્ધ
5
ઓક્ટોબર
ચતુર્દશીનુ
શ્રાદ્ધ,
દૂર્ઘટનામાં
મૃતકોનુ
શ્રાદ્ધ
6
ઓક્ટોબર
સર્વપિતૃ
અમાસ,
અમાસનુ
શ્રાદ્ધ
દૂર્ઘટનામાં મૃતનુ શ્રાદ્ધ ચતુર્દશીએ કરવુ
શ્રાદ્ધ પક્ષની ચતુર્દશી તિથિના દિવસે શસ્ત્રથી, દૂર્ઘટનામાં, અકાળ મૃત્યુથી મૃતકોનુ શ્રાદ્ધ કરવુ જોઈએ. ભલે તેમની મૃત્યુ તિથિ કોઈ પણ હોય. સર્વપિતૃ અમાસના દિવસે એ બધા મૃતકોનુ શ્રાદ્ધ કરવામાં આવે છે જેમની મૃત્યુ તિથિ વિશે ખબર ન હોય. આ દિવસે તમે પોતાના જાણીતા-અજાણ્યા બધા પિતૃઓનુ શ્રાદ્ધ કરી શકો છો.