Sleeping Astrology: સુતા સમયે કઈ દિશામાં રાખવા પગ? જાણી લો વાસ્તુ નિયમ
Sleeping Astrology: દરેક વ્યક્તિને આરામ કરવા માટે ઊંઘવાની જરૂર પડે છે. દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે ઓછામાં ઓછી 6 કલાકની ઊંઘ પૂરી કરવી પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં સુવાની રીત વિશે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. જેનું ધ્યાન રાખવાથી વ્યક્તિ ઘણી સમસ્યામાંથી બચી શકે છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, સુતા સમયે વ્યક્તિના પગ અને માથુ કઇ દિશા હોવું જોઇએ, એ વિશે જણાવવામાં આવ્યું છે. આ અહેવાલમાં વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલા નિયમો વિશે જાણીશું.

આ દિશામાં ઊંઘશો નહીં - વાસ્તુશાસ્ત્ર અનુસાર, સૂતી વખતે ક્યારેય પણ પૂર્વ દિશામાં પગ ન રાખવા જોઈએ. આવું કરવું બિલકુલ સારું માનવામાં આવતું નથી. જેના કારણે વ્યક્તિને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે, આ દિશામાં દેવતાઓનો વાસ હોય છે, તેથી શાસ્ત્રો અનુસાર, આ દિશામાં પગ રાખીને સૂવું યોગ્ય નથી માનવામાં આવતું.
આ દિશાનું ખાસ ધ્યાન રાખવું - દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે, તેથી ક્યારેય પણ આ દિશામાં પગ રાખીને ન સૂવું જોઈએ. આમ કરવાથી તમારે યમરાજની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. આવા સમયે જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, જો વ્યક્તિ આ દિશામાં પગ રાખીને સૂવે છે, તો મંગળ દોષનો સામનો કરવો પડી શકે છે.
ઊંઘની સાચી દિશા કઈ છે? - સૂતી વખતે તમારે તમારા પગ પશ્ચિમ દિશામાં રાખીને સૂવું જોઈએ, કારણ કે આ દરમિયાન તમારું માથું પૂર્વ દિશામાં રહેશે. આ દિશામાંથી સૂર્યોદય થાય છે, આવી સ્થિતિમાં પૂર્વ તરફ માથું રાખીને સૂવાથી જ્ઞાનમાં વધારો થાય છે. આ સાથે પગ ઉત્તર દિશા તરફ મુખ રાખીને સૂવું પણ ફાયદાકારક માનવામાં આવે છે.
આ વાતોનું પણ ધ્યાન રાખો - સૂતી વખતે ધ્યાન રાખો કે તમારો પલંગ ક્યાંય પણ તૂટલો ન જોઈએ. પલંગ સિવાય ખુરશી કે સોફા પર સૂવું પણ યોગ્ય નથી માનવામાં આવતું. સૂતા પહેલા પથારી પર બેસીને ભોજન કરવું પણ અયોગ્ય માનવામાં આવે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
