તમારા ઘરમાં પણ બની રહી છે કીડીઓની લાઈન, તો જાણો તેમાં છૂપાયેલા શુભ-અશુભ સંકેત
કીડીઓ અને તેમના ચાલવાની દિશા તમારા ઘરના વાસ્તુ સંબંધિત વિશેષ ઘટનાઓ સાથે જોડાયેલા સંકેત આપે છે. તો આવો, જાણીએ આ સંકેત કયા પ્રકારના હોય છે.
નવી દિલ્લીઃ આપણને ગરમી અને વરસાદની ઋતુમાં કીડીઓની લાઈનો ક્યારેકને ક્યારેક તો દેખાય જ છે. શું તમે જાણો છો કે આપણા ઘરોમાં લાઈનમાં ચાલતી આ કીડીઓને વાસ્તુશાસ્ત્ર સાથે સંબંધ હોય છે અને તે શુભ-અશુભ ઘટનાઓના સંકેત પોતાની ચાલની ગતિવિધિથી આપે છે. અલગ અલગ રંગોની કીડીઓ અને તેમના ચાલવાની દિશા તમારા ઘરના વાસ્તુ સંબંધિત વિશેષ ઘટનાઓ સાથે જોડાયેલા સંકેત આપે છે. તો આવો, જાણીએ આ સંકેત કયા પ્રકારના હોય છે.

ઘરમાં થવાનુ છે કંઈક શુભ
જો તમારા ઘરમાં કોઈ દિવાલ પર કીડીઓ ઉપરની બાજુ લાઈનમાં જતી દેખાય તો તેનો અર્થ થાય છે કે ઘરમાં કોઈ શુભ ઘટના બનવાની છે અથવા સમૃદ્ધિ મળવાની છે. વળી, કીડીઓ દિવાલથી નીચે આવવી એ અશુભ થવાના સંકેત દર્શાવે છે.

કાળી કીડીઓ હોય છે સુખનો સંકેત
મોટાભાગે ઘરોમાં કાળી કીડીઓ જ દેખાય છે. આ ઘરમાં સુખ તેમજ ધન આવવાના સંકેત આપે છે. ઘણા ઘરોમાં તેને ખાદ્ય સામગ્રી જેવી કે ખાંડ, લોટ વગેરે પણ આપવામાં આવે છે કારણકે તે શુભ હોય છે.

લાલ કીડીઓથી થઈ જાવ સાવધાન
ઘરમાં લાલ કીડીઓ દેખાવી કોઈ અશુભ ઘટના બનવાના સંકેત આપે છે. તે આવનારી મુશ્કેલીઓ, વિવાદ, આર્થિક તંગીને દર્શાવે છે. જો લાલ કીડીઓ મોઢામાં ઈંડુ પકડીને જતી દેખાય તો તે ઘર માટે એક શુભ સંકેત હોય છે.

ચોખાના વાસણનુ કરતા રહો નિરીક્ષણ
જો તમારા ઘરમાં ચોખા રાખવાના વાસણમાંથી કીડીઓ નીકળી રહી હોય તો તે તમારા ઘર માટે સારા સંકેત છે. તેનો અર્થ થાય છે કે તમારા ઘરમાં ધન આગમન થવાનુ છે. સાથે જ ઘર અન્નથી ભરેલુ રહેવાનુ છે અને કોઈ આર્થિક તંગી નહિ થાય.

કઈ દિશામાંથી ઘરમાં આવી રહી છે કીડીઓ
વાસ્તવમાં ઘરમાં કાળી કીડીઓનુ આગમન કઈ દિશામાંથી થયુ છે એ પણ અલગ-અલગ સંકેત નિર્ધારિત કરે છે. ઉત્તર અને દક્ષિણ દિશાથી આવતી કીડીઓ ઘરમાં સુખ અને સમૃદ્ધિની વાહક હોય છે. વળી, પૂર્વ દિશાથી આવતી કાળી કીડીઓ કોઈ નકારાત્મક સૂચનાના સંકેત આપે છે અને પશ્ચિમથી કીડીઓ આવે તો તમારી ક્યાંક બહારની યાત્રાના યોગ બનાવી શકે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
