Business Horoscope 2017: વૃષભ રાશિ મગજનો ઉપયોગ કરે
વૃષભ રાશિના લોકોને વેપાર અંગે ફરીથી વિચાર-વિમર્શ કરવો પડશે. મોટા પાયાની યોજનાઓમાં રોકાણ કરતાં પહેલા વડીલનું માર્ગદર્શન અવશ્ય લેવું.
વૃષભ રાશિના જાતકોને ફેબ્રૂઆરીથી શનિની પનોતી શરૂ થાય છે, માટે વેપાર કે વેપારના સ્થાનમાં પરિવર્તન આવે એવી શક્યતા છે. વેપારમાં ભાગીદારી તૂટવાના સંકેતો છે. નવો વેપાર શરૂ કરવા માટે ક્યાંક દૂર જવું પડે એવી શક્યતા છે. વેપાર વૃદ્ધિ માટે નવેસરથી વિચાર-વિમર્શ કરવો પડે. મોટા પાયાની યોજનાઓમાં રોકાણ કરતાં પહેલા વડીલનું માર્ગદર્શન અવશ્ય લેવું.

એપ્રિલ મહિનાથી કાર્ય વિસ્તારની યોજનાઓ આકાર લેશે. કૉસ્મેટિક્સ, દવાઓ, લેડીઝ ગારમેન્ટ, જ્વેલરી વગેરેનો બિઝનેસ કરતા લોકોને લાભ થશે. વૃષભ રાશિવાળા જાતકો જો આ કાર્યોમાં રોકાણ કરશે તો પોતાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવામાં સફળ રહેશે. શેરમાં રોકાણ કરી પણ નફો કમાઇ શકો છો.
અનાજના વેપારીઓને નુકસાન થઇ શકે છે
આ વર્ષે વૃષભ રાશિવાળાઓ શનિ સાથે જોડાયેલા બિઝનેસથી બચે. ઑટોમોબાઇલ, લોખંડનો વેપાર, તેલ, અનાજનો બિઝનેસ કરતા લોકોને નુકસાન જાય એવી શક્યતા છે. ઉપરોક્ત વેપારમાં નવું કાર્ય આરંભ કરવા જતા લોકોને પણ ઇચ્છિત પરિણામ નહીં મળે. આવા વેપારમાં કરેલું રોકાણ પણ નુકસાન જ કરાવશે. આ વેપાર સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં પૈસા રોકવા પણ જોખમકારક છે.
- લાભઃ કૉસ્મેટિક, સુગંધિત વસ્તુઓ, જ્વેલરી, પ્રોપર્ટી
- નુકસાનઃ ઑટોમોબાઇલ, પેટ્રોલિયમ પદાર્થ, ખેતી, તેલ
- ઉપાયઃ મહાલક્ષ્મીની આરાધના કરવી. દરેક મહિનાના કોઇ પણ એક શુક્રવારે ગરીબ કન્યાઓને ખીર ખવડાવવી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
