થઈ ગયું છે દેવું, તો રાશિ અનુસાર અપનાવો આ ઉપાય
કેટલીકવાર આપણે એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે આપણે દેવું કરવા મજબૂર થઈ જઈએ છીએ. અને દેવું ભરપાઈ કરતા કરતા આખી ઉંમર નીકળી જાય છે.
કેટલીકવાર આપણે એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જ્યારે આપણે દેવું કરવા મજબૂર થઈ જઈએ છીએ. અને દેવું ભરપાઈ કરતા કરતા આખી ઉંમર નીકળી જાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો કેટલાક ઉપાય કરીએ તો માથા પરથી દેવાનો ભાર ઉતરી શકે છે.
આ પણ વાંચો: રહસ્યમય પર્સનાલિટીના હોય છે આ રાશિના લોકો

મેષ
નાહવાના પાણીમાં મધ નાખીને સ્નાન કરો. ફોઈના આશીર્વાદ લો. રોજ લીલા રંગની ગણેશજીની મૂર્તિની કરો પૂજા. સાથે જ ગણેશજીને રોજેરોજ 11 દૂર્વા અર્પણ કરો.

વૃષભ
જો આ રાશિના જાતકો વિવાહિત હોય તો સ્નાન કરવાના પાણીમાં દૂધ અને ગંગાજળ નાખીને સ્નાન કરો. અને ધ્યાન રાખો કે પત્ની તમારાથી નારાજ ન થાય. મા લક્ષ્મીને ગુલાબી ફૂલ અર્પણ કરો. આ ઉપરાંત શુક્રવારે કુંવારી કન્યાઓને મિસરી વહેંચો.

મિથુન
પાણીમાં થોડું ગુલાબ જળ મિક્સ કરી સ્નાન કરો. ગોળનું દાન કરો. મંગળવારે વ્રત રાખો. સાથે જ હનુમાનજીની મૂર્તિના ચરણ ગંગાજળથી સાફ કરો.

કર્ક
પાણીમાં પીળા સરસવ મિક્સ કરીને સ્નાન કરો. ચણાની દાળનું દાન કરો. ગુરુવારે કેળાનું દાન આપો. ગુરુવારે તામસી ભોજન કરવાથી બચો

સિંહ
સ્નાન કરવાના પાણીમાં કાળા તલ નાખો. અડદની દાળનું દાન કરો. શનિવારે પીપળા નીચે સરસિયાનો દીવો કરો. અને લોખંડનું કડું પહેરો.

કન્યા
પાણીમાં વરિયાળી ઉમેરીને પછી સ્નાન કરો. દાળનું દાન કરો. ભગવાન શિવને તલવાળુ પાણી ચડાવો. શનિવારે 11 લોકોને ગળી વસ્તુંનું દાન કરો.

તુલા
પાણીમાં પીળા ફૂલ મિક્સ કરીને સ્નાન કરો. પીળા ચોખાનું દાન કરો. ગુરુવારે વિષ્ણુ સહસ્ત્રનો 11 વખત પાઠ કરો. આ પાઠ કરતી વખતે પીળા વસ્ત્રો જ ધારણ કરો.

વૃશ્વિક
પાણીમાં હિંગ મિક્સ કરીને સ્નાન કરો. મસૂરની દાળનું દાન કરો. મંગળવારે ઉપવાસ કરો. હનુમાનજીની પૂજા કરો. 11 તુલસીપાન ચડાવો. બુધવારે ગાયને ઘાસ ખવડાવો.

ધન
પાણીમાં દહીં ઉમેરીને સ્નાન કરો. આખા ચોખાનું દાન કરો. રોજ સવારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની આરાધના કરો. શુક્રવારે કન્યાઓને સફેદ મીઠાઈ વહેંચો.

મકર
લીલી ઈલાઈચી ઉમેરીને સ્નાન કરો. આખા મગની દાળનું ગરીબોને દાન કરો. રોજ પૂજામાં ભગવાન ગણેશની આરતી કરો. સાથે જ ગણેશજીને મોદકનો પ્રસાદ ચડાવો. બુધવારે ભગવાન ગણેશને ઈલાયચી અર્પણ કરો.

મીન
પાણીમાં કેસર ઉમેરીને સ્નાન કરો. ઘઉંનું દાન કરવાથી ઝડપતી ફાયદો થશે. રોજ સવારે સૂર્યને જળ ચડાવો. સૂર્યના મંત્રનો જાપ કરો. રવિવારે ગાયને રોટલી અને ગોળ ખવડાવો.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
