For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવામાંથી મુક્તિ મેળવવી છે તો રાશિ પ્રમાણે કરો આ સરળ ઉપાય

પૈસા દરેક વ્યક્તિની નાની નાની ઈચ્છા પૂરી કરે છે, જો કે પૈસા કમાવા સહેલા નથી, તેના માટે કરવી પડે છે આકરી મહેનત.

|
Google Oneindia Gujarati News

પૈસા દરેક વ્યક્તિની નાની નાની ઈચ્છા પૂરી કરે છે, જો કે પૈસા કમાવા સહેલા નથી, તેના માટે કરવી પડે છે આકરી મહેનત. કેટલાક લોકો પ્રામાણિક પણે પૈસા કમાવવામાં વિશ્વાસ રાખે છે, તો કેટલાક લોકો અપનાવે છે શોર્ટકટ. બીજી તરફ કેટલાક લોકોની આવક વધુ નથી હોતી પરંતુ તેમના ખર્ચા વધુ હોય છે. આવા લોકો લોન લેવામાં પણ પાછા નથી પડતા અને તેમની જિંદગી ઉધાર ચૂકવવામાં જ જતી રહે છે.

જો તમે પણ આવા લોકોમાંથી છો તો આ લેખ તમારા માટે ઉપયોગી છે. કારણ કે આજે અમે તમને વાસ્તુ અંગેના કેટલાક એવા ઉપાય બતાવીશું જેનાથી તમે ટૂંક સમયમાં દેવામાંથી મુક્ત થઈ શક્શો.

આ પણ વાંચો: વાસ્તુ ટિપ્સઃ સારા કરિયર માટે અમલ કરો આ 10 સહેલા ઉપાય પર

અમે તમને એ માહિતી પણ આપીશું કે તમારી રાશિ પ્રમાણે દેવા મુક્ત થવાનો ઉપાય શું છે. તો ચાલો જાણીએ દેવા મુક્ત થવાના સરળ અને સહેલા ઉપાય.

વાસ્તુ અંગેના ઉપાય.

વાસ્તુ અંગેના ઉપાય.

1. સંધ્યા પૂજા સમયે કે પૂજા બાદ ઘરની બહાર પૈસા આપવાનું ન રાખો

2. પૈસાની લેવડ દેવડ માટે સૌથી શુભ સોમવાર કે બુધવાર મનાય છે. આ દિવસો સિવાયના દિવસે ન તો ઉધાર લો ન તો કોઈને ઉધાર આપો.

3. સાંજના સમયે તુલસીના પાન ન તોડો તેનાથી આર્થિક નુક્સાન થાય છે. કહેવાય છે કે તુલસીના છોડમાં સાક્ષાત દેવી લક્ષ્મી વસે છે.

વાસ્તુ અંગેના ઉપાય

વાસ્તુ અંગેના ઉપાય

4. ઘરની દીવાલો ચોખ્ખી રાખો. દીવાલો પરના નિશાન તમારી આર્થિક સ્થિતિ નકારાત્મક અસર કરે છે. સાથે જ સમયાંતરે ઘરના ખૂણે ખૂણાની સાફાઈ કરો જેથી જાળા ન થાય.

5. ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ટોયલેટ ન બનાવો, તેનાથી દેવું વધે છે.

6. ઘર કે ઓફિસમાં પાણીની વ્યવસ્થા ઉત્તર દિશામાં રાખો. ટૂંક સમયમાં જ દેવામાંથી રાહત મળશે.

વાસ્તુ અંગેના ઉપાય

વાસ્તુ અંગેના ઉપાય

7. ઘર હોય કે દુકાન જો સીડીઓ પશ્ચિમ દિશા તરફ હોય કે પછી પશ્ચિમથી નીચે તરફ ઉતરી રહી હોય તો તમે દેવામાં ઉતરી શકો છો. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો.

8. ઘર હોય કે ઓફિસ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં જ કાચ લગાવો. તેનાથી આર્થિક ફાયદો થાય છે અને લોન સમાપ્ત થાય છે.

9. જો તમે લોન લીધી હોય તો પહેલો હપ્તો મંગળવારથી ચૂકવો. ઝડપથી લોન વધતી જાય છે.

મેષઃ

મેષઃ

મેષ રાશિના જાતકોએ દેવાથી મુક્તિ મેળવવા માટે ગણેશજીની પૂજા કરવી જોઈએ. રોજ ગણેશજીને દૂર્વા ચડાવો.

વૃષભઃ

વૃષભઃ

તમારે રોજ દેવી લક્ષ્મીને ગુલાબી ફૂલ અર્પણ કરવા જોઈએ.

મિથુનઃ

મિથુનઃ

મિથુન રાશિના જાતકોએ દેવામાંથી મુક્ત થવા દરેક મંગળવારે ઉપવાસ કરવો જોઈએ અને ભગવાન હનુમાનજીની પૂજા કરવી જોઈએ.

કર્કઃ

કર્કઃ

ગુરુવારે કેળાનું દાન કરો, તાત્કાલિક દેવાથી મુક્તિ મળશે.

સિંહઃ

સિંહઃ

દરેક શનિવારે પીપળાના વૃક્ષ પાસે સરસિયાના તેલનો દીવો કરો.

કન્યાઃ

કન્યાઃ

કન્યા રાશિના જાતકોએ દરેક શનિવારે ગળી વાનગીનું દાન કરવું જોઈએ.

તુલાઃ

તુલાઃ

ગુરુવારે પીળું વસ્ત્ર ધારણ કરો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો

વૃશ્વિકઃ

વૃશ્વિકઃ

વૃશ્વિક રાશિના લોકો દેવાથી મુક્ત થવા બુધવારે પશુઓને ચારો ખવડાવો

ધનઃ

ધનઃ

તમે રોજ વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરો.

મકરઃ

મકરઃ

મકર રાશિના જાતકોએ પ્રતિદિન ગણેશજીની પૂજા કરીને બુધવારે લીલી ઈલાયચી અર્પણ કરવી જોઈએ.

કુંભઃ

કુંભઃ

તમારે દરેક સોમવારે શિવજીની પૂજા કરવી જોઈએ. સાથે જ મંદિરમાં જઈને શિવલિંગને જળ અર્પણ કરો.

મીનઃ

મીનઃ

દરેક રવિવારે ગાયને ગોળ સાથે રોટલી ખવડાવો. સાથે જ રોજ સૂર્યને જળ અર્પણ કરો.

English summary
this tips can help you to get away from money problem
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X