Vastu Tips : સવારે ઉઠીને ન કરો આ કામ, થઇ શકે છે મોટા નુકસાન
વાસ્તુ અનુસાર જો સવારની કેટલીક આદતોના કારણે તમારો દિવસ જ નહીં, પરંતુ સફળતાના માર્ગમાં મોટો અવરોધ આવી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને જો સવારે કરવામાં આવે,તો મોટા નુકસાન થઇ શકે છે
Vastu Tips : ભારતમાં બાંધકામ અને ઘર સજાવટમાં વાસ્તુનું આગવું મહત્વ છે. આ સાથે આ માટે અલગ વાસ્તુશાસ્ત્ર છે. જેમાં ઘરસજાટ, બાંધકામ સાથે સાથે આદતો વિશે પણ જણાવ્યું છે.
આવા સમયે આપણે સવારની આદતો જે આપણને નુકસાન સહન કરવું પડે છે. જો તમને પણ આ આદતો છે, તો બદલી લો નહીંતર તમને મોટા નુકસાન સહન કરવું પડી શકે છે.
બહુ મોટા નુકસાન થઇ શકે છે
શું તમે જાણો છો કે, વાસ્તુ અનુસાર જો સવારની કેટલીક આદતોના કારણે તમારો દિવસ જ નહીં, પરંતુ સફળતાના માર્ગમાં મોટો અવરોધ આવી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને જો સવારે કરવામાં આવે, તો બહુ મોટા નુકસાન થઇ શકે છે.
તમારે તમારા હાથ જોવા જોઈએ
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સવારે ઉઠતાની સાથે જ તમારે તમારા હાથ જોવા જોઈએ. એવું કહેવાય છે કે, હાથની હથેળીમાં દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીનો વાસ છે. હથેળીને જોતી વખતે તમારા ઇષ્ટદેવને યાદ કરવા અને પછી ચહેરા પર હાથ ફેરવો જોઇએ.
સૂર્યના દર્શન કરવા પણ શુભ માનવામાં આવે છે
સવારે વહેલા ઉઠીને ભગવાન સૂર્યના દર્શન કરવા પણ શુભ માનવામાં આવે છે. બીજી તરફ જો તમે સૂર્યોદય પહેલા જાગી જાઓ છો, તો તમે ચંદ્ર પણ જોઈ શકો છો. એવું કહેવાય છે કે, આ કરવાથી અટકેલા કામ પણ થવા લાગે છે અને ધન અને સમૃદ્ધિ આવવા લાગે છે.
સવારે ઉઠ્યા બાદ એઠા વાસણ તરફ ન જોવું જોઈએ
સવારે ઉઠ્યા બાદ હિંસક પ્રાણીઓની તસવીરો જોવી અશુભ માનવામાં આવે છે. જો તમારા બેડરૂમમાં આવી કોઈ તસવીર હોય, તો તેને દૂર કરો અથવા વહેલી સવારે તેને જોવાનું ટાળો. આ સિવાય સવારે ઉઠ્યા બાદ એઠા વાસણ તરફ ન જોવું જોઈએ. આ જ કારણ છે કે રાત્રે તમામ વાસણો ધોઇને સુઇ જવું જોઈએ.
સવારે વહેલા ઉઠીને ક્યારેય અરીસો ન જોવો જોઈએ
સવારે ઉઠીને કોઈએ બીજાના પડછાયા તરફ ન જોવું જોઈએ, ખાસ કરીને પશ્ચિમ દિશા તરફ બિલકુલ પણ ન જોવું જોઈએ. આમ કરવાથી નુકસાન થવાની સંભાવના છે. કહેવાય છે કે, સવારે વહેલા ઉઠીને ક્યારેય અરીસો ન જોવો જોઈએ. સવારે અરીસામાં પોતાનો ચહેરો જોવાથી નકારાત્મકતા આવે છે.