Vastu Tips: કરો આ અચૂક ઉપાય, દૂર થશે વાસ્તુ દોષ
Vastu Tips: ઘર બનાવતા સમયે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર અજાણતા કરેલી ભૂલોના કારણે આપણે વાસ્તુ દોષનો શિકાર બનીએ છીએ. જે કારણે ઘરમાં સ્વાસ્થ્ય, કરિયર વગેરે ક્ષેત્રમાં જોડાયેલી સમસ્યા સર્જાય છે.
તેથી ઘર હંમેશા વાસ્તુ નિષ્ણાતોની સલાહ લઈને જ બનાવવું જોઈએ. જોકે, વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા વ્યક્તિ વાસ્તુ દોષની સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે.

વાસ્તુ દોષ દૂર કરવાના સરળ ઉપાય
રસોડામાં સ્થાપિત કરો આ વસ્તુ - વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો ઘરનું રસોડું ખોટી જગ્યાએ બનેલું હોય, તો રસોડાના અગ્નિ ખૂણામાં લાલ બલ્બ લગાવવો જોઈએ. તેમજ દરરોજ સવાર-સાંજ ચાલુ રાખવો જોઈએ, જે લોકો આ ઉપાયનું પાલન કરે છે, તેમના રસોડામાં રહેલા વાસ્તુ દોષો દૂર થઈ જાય છે.
શનિ યંત્રને પશ્ચિમ દિશામાં લગાવો - જો તમારા ઘરની પશ્ચિમ દિશામાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ હોય, તો શનિ યંત્રને આ દિશામાં સ્થાપિત કરવું જોઈએ, પરંતુ ધ્યાન રાખો કે શનિ યંત્રની પૂજા કર્યા પછી જ તેની સ્થાપના કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ઘરની પશ્ચિમ દિશામાં તમામ વાસ્તુ દોષ દૂર થઈ જશે. તેમજ કોઈપણ કાર્યમાં અડચણ નહીં આવે.
ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો - જો તમારા ઘરના અગ્નિ ખૂણામાં વાસ્તુ દોષ છે, તો તેના માટે તમારે આ દિશામાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. વાસ્તુ નિષ્ણાતોના મતે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવો પણ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તેનાથી ઘરની સમૃદ્ધિ પણ વધે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.












Click it and Unblock the Notifications
