પગમાં કેમ નથી પહેરાતા સોનાના દાગીના? જાણો 3 મોટા કારણો
ભારતીય સંસ્કૃતિમાં ઘરેણા પહેરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. સ્ત્રી હોય કે પુરુષ, તમે સોના અને ચાંદી બંનેના દાગીના પહેરેલા જોવા મળશે.
ભારતીય સંસ્કૃતિમાં ઘરેણા પહેરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. સ્ત્રી હોય કે પુરુષ, તમે સોના અને ચાંદી બંનેના દાગીના પહેરેલા જોવા મળશે. ખાસ કરીને મહિલાઓ સોનાના ઘરેણાં પહેરવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે ક્યારેય કોઈ મહિલાને પગમાં સોનાના દાગીના પહેરેલી જોઈ છે? ક્યારેય નહીં. આખરે શું કારણ છે કે, મહિલાઓ પગમાં સોનાના દાગીના નથી પહેરતી. ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને પગમાં સોનું ન પહેરવાનું સાચું કારણ જણાવીએ.

કમર નીચે સોનું ન પહેરવું
સનાતન ધર્મ અનુસાર, કમરની નીચે સોનાની બનેલી વસ્તું પહેરવી વર્જિત માનવામાં આવે છે. તેને ફક્ત કમરના ઉપરના ભાગમાં જપહેરી શકાય છે. આના એક નહીં પરંતુ બે કારણો છે. પગમાં સોનું ન પહેરવાનું પહેલું કારણ એક વૈજ્ઞાનિક કારણ છે.

સોનાના દાગીનાથી શરીરમાં ગરમી વધે છે
આ પ્રમાણે માનવીની શારીરિક રચના એવી હોય છે કે, તેના શરીરના ઉપરના ભાગને ઠંડકની જરૂર હોય છે અને નીચેના ભાગને માત્રગરમીની જરૂર હોય છે.સોનાના દાગીનાથી શરીરમાં ગરમી વધે છે.

શરીરનું તાપમાન સંતુલિત રહે
તેથી તેમને પગ પર પહેરવાથી તમારા શરીરને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં પગમાં સોનાની જગ્યાએ ચાંદીના ઘરેણાં પહેરવામાં આવે છે, જેથી શરીરનું તાપમાન સંતુલિત રહે.

ભગવાન વિષ્ણુ ગુસ્સે થાય છે
બીજી તરફ પગમાં સોનાના ઘરેણા ન પહેરવા પાછળનું બીજું મોટું કારણ ધાર્મિક છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને માતાલક્ષ્મીને સોનું ખૂબ જ પ્રિય છે. એટલા માટે તેને નાભિની નીચે એટલે કે કમર સુધી પહેરવાની મનાઈ છે.

તમારા ઘરની સુખ-શાંતિ અને ધન અને સમૃદ્ધિ બંને જતી રહે છે.
જો તમે પગમાં ઘરેણાં પહેરો છો તો તે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. આમ કરવાથી બંનેને ગુસ્સો આવી શકે છે. જેના કારણે તમારા ઘરની સુખ-શાંતિ અને ધન અને સમૃદ્ધિ બંને જતી રહે છે.

તેને પગમાં પહેરવાથી ધૂળ જામી જાય છે
પગમાં સોનું ન પહેરવાનું એક કારણ એ છે કે ધૂળ અને માટીના સંપર્કમાં આવવાથી તે ગંદુ થઈ શકે છે, જેના કારણે તેની કુદરતી ચમકગુમાવવાનો ભય રહે છે.

કમર પર સોનું પહેરવાથી વ્યક્તિના ચહેરાની સુંદરતા સામે આવે છે
જ્યારે તેને કમરથી ઉપર એટલે કે ગળા, નાક, ગળાની આસપાસ પહેરવાથી આવું કોઈ જોખમ રહેતું નથી. આ સાથે કમર પર સોનું પહેરવાથી વ્યક્તિના ચહેરાની સુંદરતા સામે આવે છે, જ્યારે તેને પગમાં પહેરવાથી આવું કંઈ થતું નથી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
