વાત એ પુસ્તકની, જે ભારત-પાકિસ્તાન ભાગલામાં અડધુ-અડધુ વહેંચાયુ, જાણો પુસ્તકનું નામ
ભારત તેનો 77મોં સ્વાતંત્ર્ય દિવસ મનાવવા જઈ રહ્યું છે. આ દિવસને ભારતના આઝાદી દિવસ સિવાય દેશ માટે કાળા ઇતિહાસ સમાન ભારત-પાકિસ્તાનના ભાગલને પણ યાદ કરાય છે. ભારત પાકિસ્તાનના ભાગલા સમયે એક એવી ઘટના બની હતી, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
ભારત પાકિસ્તાનના ભાગલા માત્ર જમીનના ભાગલા નહોતા. ભાગલા સમયે ભારતની સંસ્કૃતિના પણ બે ટુકડા થયા હતા. ભાગલા સમય દરમિયાન ભારતની જમીન સાથે સાથે એક પુસ્તકના પણ બે ટુકડા થયા હતા. આજે આપણે આ પુસ્તક વિશે જ વાત કરવાના છીએ.

આ ભાગલાથી લાખો લોકો પ્રભાવિત થયા અને બન્ને દેશને તેના દર્દમાંથી બહાર આવવા માટે વર્ષો લાગ્યા. જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાનના ભાગલા દરમિયાન બન્ને દેશોની જમીન સાથે વહેંચાયેલી ઘણી વસ્તુઓમાં એક પુસ્તક હતુ. આ પુસ્તક હતુ એનસાયક્લોપીડિયા ઓફ બ્રિટાનીકા.
જ્યારે બન્ને દેશો વચ્ચે વસ્તુઓની વહેંચણી કરવામાં આવી રહી હતી તે દરમિયાન વહેંચણી એક પુસ્તક પર આવીને રોકાઈ ગઈ. પુસ્તકને બે બાગમાં કેવી રીતે વહેંચી શકાય તે એક મોટો પ્રશ્ન હતો. આ સ્થિતિમાં એક જ રસ્તો હતો કે પુસ્તકને બે ભાગમાં વહેંચવામાં આવે. અને આમ જ કરવામાં આવ્યુ.
વિજયલક્ષ્મી બાલકૃષ્ણન તેમના પુસ્તક ગ્રોઈંગ અપ એન્ડ અવે: નેરેટિવ્સ ઓફ ઈન્ડિયન ચાઈલ્ડહુડ્સઃ મેમોરી, હિસ્ટ્રી, આઈડેન્ટિટીમાં લખે છે કે બ્રિટાનિકાના એન્સાઈક્લોપીડિયાના બે ભાગ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે વહેંચવામાં આવ્યું. આ સાથે પુસ્તકાલયમાં હાજર શબ્દકોશને પણ બે ભાગમાં વહેંચવામાં આવ્યો.
A થી K સુધીના શબ્દકોશનો ભાગ ભારતમાં ગયો અને બાકીનો પાકિસ્તાન લઈ જવામાં આવ્યો. આ બધાની વચ્ચે એક વસ્તુ એવી હતી જેના ભાગ નહોતા કરાયા. આ હતી દારૂના બેરલ. પાકિસ્તાને દારૂના બેરલ લેવાનો ઇનકાર કર્યો હતો. ઇસ્લામમાં દારૂ પ્રતિબંધિત છે એટલા માટે ભારતીયો માટે ખુશીની વાત હતી કે તેમને દારૂના તમામ બેરલ મળી ગયા.












Click it and Unblock the Notifications
