Baba Vanga Prediction : જાણો બાબા વેંગાની 2023 માટે કરેલી ભવિષ્યવાણી
Baba Vanga Prediction : દુનિયાના પ્રસિદ્ધ ભવિષ્યવેતાઓમાં બુલ્ગારિયાના બાબા વેંગાનો સમાવેશ થાય છે. બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી ઘણીવાણીઓ સાચી પડી છે. બાબા વેંગાએ 2023 માટે પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે.
Baba Vanga Prediction : દુનિયાના પ્રસિદ્ધ ભવિષ્યવેતાઓમાં બુલ્ગારિયાના બાબા વેંગાનો સમાવેશ થાય છે. બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી ઘણીવાણીઓ સાચી પડી છે. બાબા વેંગાએ 2023 માટે પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. જે ખુબ જ ખતરનાક છે. આ પહેલા વર્ષ 2022 માટે બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણી કરી હતી. જેમાંથી બે સાચી સાબિત થઇ છે.
બાબા વાંગાએ 12 વર્ષની ઉંમરે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી
બાબા વેંગાએ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી. બલ્ગેરિયાના બાબા વાંગાએ 12 વર્ષની ઉંમરે પોતાની જોવાની શક્તિ ગુમાવી દીધી હતી. 11 ઓગસ્ટ, 1996ના રોજ બાબા વેંગાનું અવસાન થયું.
બાબા વેંગાએ વિશ્વના અંતથી લઈને યુદ્ધ અને આફતની આગાહી કરી હતી. આજે આપણે બાબા વેંગા દ્વારા વર્ષ 2023 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી વિશે જાણીશું.
અનેક ભવિષ્યવાણીઓ સાચી પડી
બાબા વેંગાએ સોવિયત સંઘનું વિઘટન, અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદાના 9/11 નો હુમલા સહિત અનેક ભવિષ્યવાણીઓ કરી હતી, જે સાચી પડી છે. હવે વર્ષ 2023 માટે કરેલા બાબા વેંગાની ભવિષ્યવાણીને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
બે ભવિષ્યવાણીઓ ખૂબ જ ડરામણી
વર્ષ 2023 માટે બાબા વેંગાની બે ભવિષ્યવાણીઓ ખૂબ જ ડરામણી છે. આમાં બાબા વેંગાએ ત્રીજા વિશ્વયુદ્ધની આગાહી કરી છે, જ્યારે બીજું પૃથ્વીનો માર્ગ બદલવાનો છે. બાબા વેંગાની આગાહી મુજબ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ થઈ શકે છે. ત્રીજા વિશ્વયુદ્ધમાં અણુ બોમ્બનો ઉપયોગ થયો હશે.
પૃથ્વી પર ભયંકર પરિવર્તન થશે
આ સિવાય બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે, વર્ષ 2023માં સૌથી મોટી ખગોળીય ઘટના થશે અને પૃથ્વી તેની ભ્રમણકક્ષા બદલશે. આ ઘટનાના ગંભીર પરિણામો જોઈ શકાય છે. જેના કારણે પૃથ્વી પર ભયંકર પરિવર્તન થશે.
જાણો કોણ હતા બાબા વેંગા
બલ્ગેરિયન પ્રબોધક બાબા વેન્ગા એક અંધ રહસ્યવાદી હતા જેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. 1911માં જન્મેલા બાબા વેંગાએ માત્ર 12 વર્ષની ઉંમરે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. કહેવાય છે કે તેમની 85 ટકા ભવિષ્યવાણીઓ સાચી પડી છે.
બાબા વેંગાનું ઓગસ્ટ 1996માં સ્તન કેન્સરથી અવસાન થયું હતું. પરંતુ તેમના મૃત્યુ પહેલા પણ, તેમણે 5079 સુધી આગાહી કરી હતી.