Shhhhh....કલકત્તાની આ 5 જગ્યા પર એકલા ન જવું
જો તમે રવિન્દ્રનાથ ટાગોરની જન્મભૂમિના દર્શન કરવાની ઈચ્છા ધરાવો છો, તો ચોક્કસ હોવી જોઈએ. પરંતુ કલકત્તા જતા પહેલા ત્યાંના કેટલાક પ્રવાસન સ્થળોનો અભ્યાસ ચોક્કસ કરી લો.
અહીં દરેક પ્રવાસન સ્થળ અદભૂત છે. કલકત્તામાં ભારતના ઈતિહાસની ધરોહર પણ છે. પરંતુ અહીં કેટલાક એવા સ્થળ પણ છે કે જ્યાં ભૂત રહે છે. જી હા, આ વાત મજાકમાં નથી કહેવામાં આવી રહી.
કલકત્તાના વરિષ્ઠ નાગરિકોના મુખે તમે આ તમામ સ્થળ અંગે સાંભળી શકો છો. આવો આજે અમે તમને કલકત્તાના એવા જ કેટલાક ભૂતિયા સ્થળો અંગે વાત કરીએ......

હાવડા બ્રિજની નીચે ગંગામાં
હાવડા બ્રિજની નીચે મુલ્લિક ઘાટ અને જનાના ઘાટ છે. જ્યાં રોજ સવારે કુશ્તીના ઘણાં પહેલવાન અભ્યાસ માટે આવે છે. આ પહેલવાનોના જણાવ્યા અનુસાર રોજ સવારે ગંગામાં એક ડુબતું શરીર નજરે પડે છે. જેમાં ડુબતા શરીરનો ભાગ મદદ માંગે છે. એવામાં ગભરાઈ જવાય છે. સમજ નથી પડતી કે કોઈ આત્મા છે કે પછી સાચે જ કોઈ ડુબી રહ્યું છે. આવામાં જો તમે એકલા હોવ તો પસીનો છુટી જશે.

નીમતાલા બર્નીગ ઘાટ
મધ્ય કલકત્તામાં આવેલો નીમતાલા બર્નીગ ઘાટ કલકત્તાના સૌથી પ્રાચીન ઘાટમાંથી એક છે. અહીં રાત્રે કાલી માતાની પૂજા કરવામાં આવે છે. આ પૂજા જોઈને તમને કોઈ આધ્યાત્મિક અહેસાસ નહીં થાય પરંતુ આપ ડરી જશો. સ્થાનિકોનું માનીએ તો અહીં રોજ રાત્રે અઘોરીઓ આવીને હાડકા વડે તાંત્રિક પૂજા વિધી કરે છે. ભૂતિયા શક્તિઓને અહીં રાતના સમયે જાગૃત કરવામાં આવે છે.

પુતુલવાડી અથવા ઢીંગલીઓનું ઘર
આ સ્થળનું નામ જ અજીબ છે. આ એક ઈમારત છે જે ગંગાની પેલે પાર અહિરીટોલામાં છે. આ ઈમારતમાં ઘણી ઢીંગલીઓની છબી છત પર બનેલી છે. આ ઈમારતમાં ઉપરના માળે હજી પણ કેટલાક લોકો રહે છે. નીચેના માળને જ ભૂતિયા માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ ઈમારતમાં જમીનદારો આવતા હતા, અને મહિલાઓ તેમજ છોકરીઓનું યૌન શોષણ કરતા હતા. જેથી આ ઈમારતમાં તે મહિલાઓ અને છોકરીઓની આત્મા ભટકે છે.

લોઅર સર્કિલુર રોડ કબ્રસ્તાન
સાઉથ પાર્ક સ્ટ્રીટ કબ્રસ્તાનને કલકત્તાના સૌથી ભયાનક સ્થળોમાંથી એક માનવામાં આવે છે. આ સ્થળ પર ઘણી ગ્રીનરી છે. આ સ્થળ પર બ્રિટીશ સૈનિકોની કબર છે. અહીં સર W.H.મેકની કબર છે જેમના શવને અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની પત્નીને પણ અહીં જ દફન કરવામાં આવી હતી. કહેવામાં આવે છે રાતના સમયે આ કબર પરના વૃક્ષો થથરતા જોવા મળે છે. જો કે અહીં કોઈ ભૂતિયા ઘટના નથી જોવા મળી, પરંતુ રાતના સમયે અહીંથી નીકળતી વખતે ડરી જવાય છે.

રવિન્દ્ર સરોવર રેલ્વે સ્ટેશન
રાતના સમયે છેલ્લી ટ્રેન નીકળી રહી છે, કે ઉપરથી કોઈએ છલાંગ લગાવી અને વીજળીના તાર સાથે ટકરાઈને મોત થયું. આવા દ્રશ્યો અહીં ખુબ જ સામાન્ય છે. કલકત્તામાં 70 ટકા લોકો અહીં જ આત્મહત્યા કરે છે. રાત્રે લગભલ 10.30ની આસપાસ અહીંથી છેલ્લી ટ્રેન નીકળે છે, અને તેને ચલાવનાર ડ્રાઈવર માને છે કે અહીં કેટલાક આછા પડછાયા આત્મહત્યા કરતા જોવા મળે છે.

રોયલ કલકત્તા ટર્ફ ક્લબ
રેસ કોર્સ: વર્ષ 1930માં જ્યોર્જ વિલિયમ્સ ઘોડા દોડની રેસના ઘણાં શોખીન હતા. તેમની સફેદ ઘોડી તેમની શાન અને ગર્વ હતી. તેઓ આ ઘોડીના કારણે હંમેશા જીતતા હતા. પરંતુ એક દિવસ આ ઘોડી કલકત્તાની વાર્ષિક દોડમાં હારી ગઈ અને પછીના દિવસે તે ટ્રેક પર મરી ગઈ. ત્યારથી અત્યારસુધી તે ઘોડી ટ્રેક પર દોડતી ઘણી વખત જોવા મળી છે.

નેશનલ લાઈબ્રેરી
નેશનલ લાઈબ્રેરી કલકત્તાના અલીપુર જન્તુઆલય અને અલીપુર જેલની વચ્ચે આવેલી છે. આ પુસ્તકાલય દુર્લભ પુસ્તકોના સંગ્રહને લઈને જાણીતું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં ભૂતોનો વાસ છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ ગર્વનરની પત્ની લેડી મેક્કોફને લાઈબ્રેરીની દેખભાળ કરવી ખુબ ગમતી હતી. તેમને બિલકુલ નહોતું ગમતુ કે વ્યવસ્થાનો કોઈ ભંગ કરે. એવું માનવામાં આવે છે કે આજે પણ તેઓ આ લાઈબ્રેરીની દેખભાળ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
