જાણો કેમ રાતના અંધકારમાં આપવામાં આવે છે ફાંસી?
શું તમને ખબર છે કેમ આજ દિવસ સુધી જેટલા પણ લોકોને ભારતમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે તેમને મળસ્કે એટલે કે સવાર પહેલા જ મોતની નીંદરમાં સૂવડાવી દેવામાં આવ્યા છે. ત્યારે શું તમે કદી વિચાર્યું છે કે આવું કેમ? કેમ ફાંસી રાતના અંધકારમાં જ આપવામાં આવે છે.
ત્યારે આજે અમે તમને ફાંસીની સજા વિષે કેટલીક રોચક માહિતી આપવાના છીએ. જેમ કે કેવી રીતે કેદીને ફાંસીની સજા અપાય છે. તે પહેલા જલ્લાદ કેદીના કાનમાં શું કહે છે. અને કેવા કેવા કારણો સર ફાંસીની સજાને રાતના અંધકારમાં જ અંજામ આપવામાં આવે છે તો વાંચો આ રસપ્રદ જાણકારી ફાંસી વિષે...

આતંકનો અંત અંધકારમાં
કહેવાય છે કે રાતના અંધકારમાં ફાંસી એટલા માટે આપવામાં આવે છે કે આતંકના અંત રાતના અંધારામાં જ આવી જાય જેથી કરીને નવી સવાર એક નવી રોશનીને લઇને આવી શકે.

રાતનો સમય શ્રેષ્ઠ
જેલનું તમામ કામકાજ એક સંપૂર્ણ અનુશાસન સાથે ચાલે છે. ફાંસી એક મહત્વનું કામ છે તેને રાતના કરવામાં આવે છે જેથી કરીને સવારે જેલના અન્ય કામ નિયમબદ્ઘ રીતે કરી શકાય.

ડોક્ટરની ભૂમિકા મહત્વની
ફાંસીની સજામાં ડોક્ટરની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. તે ફાંસી પહેલા અને બાદ કેદીની તપાસ કરે છે. અને જો તે કહે કે કેદીની મોત નથી થઇ તો ફરી ફાંસીએ લટકાવવામાં આવે છે. નોંધનીય છે કે કસાબ પણ પોતાની ફાંસીની સજા માટે લાંબા સમય સુધી શ્વાસ રોકી રાખ્યો હતો જેના કારણે તેનો ડોક્ટર તેને લાંબા સમય સુધી ફાંસીના માચડે લટકાવ્યો હતો.

જેલ પ્રશાસન
જેલ પ્રશાસન દ્વારા ફાંસી પહેલા કેદીની અંતિમ ઇચ્છા પુછવામાં આવે છે અને તેની ઇચ્છા મુજબ તે વસ્તુની પૂર્તિ પણ કરવામાં આવે છે.

શું કહે છે જલ્લાદ
ફાંસી વખતે જલ્લાદની ભૂમિકા પણ મહત્વની હોય છે. કારણ કે તે ફાંસીનો ફંદો નાખીને દોરીને ખેંચી છે. જો કેદી હિંદુ હોય તો રામ રામ અને મુસ્લિમ હોય તો સલામ કહીને તે ફાંસીનો આ ગાળિયો ખેંચે છે. સાથે જ કેદીને જલ્લાદ કહે છે કે "મને માફ કરી દેજે કારણ કે હું હુકમનો ગુલામ છું."

કોણ કોણ રહે છે હાજર
ફાંસીની સજા વખતે એક્ઝિક્યૂટીવ મેજીસ્ટ્રેટ, જેલ અધિક્ષક અને પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહે છે. અને ફાંસીનો સમય પણ પહેલેથી જ નક્કી કરવામાં આવે છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
