કાનપુરનો વિચિત્ર કિસ્સો, દર્દીના પેટમાંથી નીકળ્યો સ્ટીલનો ગ્લાસ
કાનપુરમાં બુધવારે એક ચોંકવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રામા હોસ્પિટલમાં હાજર ડૉક્ટરો 26 જૂને ચોંકી ગયા જ્યારે તેમને ખબર પડી કે દર્દીના પેટમાં સ્ટીલનો ગ્લાસ છે.
કાનપુરમાં બુધવારે એક ચોંકવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રામા હોસ્પિટલમાં હાજર ડૉક્ટરો 26 જૂને ચોંકી ગયા જ્યારે તેમને ખબર પડી કે દર્દીના પેટમાં સ્ટીલનો ગ્લાસ છે. એક્સ રે રિપોર્ટમાં પેટમાં ગ્લાસ હોવાનું માલુમ પડ્યા બાદ ડોક્ટરોએ બુધવારે ઓપરેશન કર્યુ. ડૉક્ટરએ પેટ ચીરીને ગ્લાસ બહાર કાઢ્યો. આ ઓપરેશન બે કલાક સુધી ચાલ્યુ. ઓપરેશન કરનાર ડૉક્ટરોએ આને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવ્યો.

કાનપુરના રામા હોસ્પિટલમાં થયુ ઓપરેશન
મામલો કાનપુરના રામા હોસ્પિટલનો છે જ્યાં દિબિયાપુર (ઔરૈયા) થી આવેલ રામદીન (62) નામના એક વ્યક્તિના પેટમાં ગ્લાસ હોવાની વાતે સૌને ચોંકાવી દીધા. દર્દીએ જણાવ્યુ કે 10 દિવસ પહેલા બદમાશોએ રામદીનને મારીને બેભાન કરી દીધો હતો ત્યારબાદ તેને લૂટ્યો અને તેના પાછળના ભાગમાંથી સ્ટીલનો ગ્લાસ તળિયા બાજુથી ઠૂંસી દીધો જે તેના પેટમા પહોંચી ગયો.

બદમાશોએ મારપીટ કર્યા બાદ નાખ્યો હતો ગ્લાસ
દર્દી પેટમાં પીડાની ફરિયાદ લઈને આવ્યો હતો. અલ્ટ્રાસાઉન્ડ કરાવતા પેટમાં ગ્લાસ ફસાયો હોવાનું જાણવા મળ્યુ. ગ્લાસ આંતરડામાં ફસાઈ ગયો હતો. 27 જૂને એનેસ્થેટિસ્ટ ડૉ. રાજીવ કુમાર, ડૉ. અમિત, ડૉ. રોહિત, ડૉ.આશિષ સાથે મળીને રામદીનનું ઓપરેશન કર્યુ. પેટમાં ચીરો મૂકીને ગ્લાસ કાઢવામાં આવ્યો.

રેર ઓફ ધ રેરેસ્ટ કેસ
ઓપરેશન કરનાર રામા હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સીનિયર સર્જન ડૉ. દિનેશ કુમારે આને રેર ઓફ ધ રેરેસ્ટ કેસ ગણાવ્યો છે અને આ ઓપરેશનને મોટી સફળતા ગણાવી છે. ઓપરેશન લગભગ 2 કલાક સુધી ચાલ્યુ હતુ જેમાં દર્દીના પેટને ચીરીને ગ્લાસ કાઢવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યુ કે તે આને મેડીકલ મેગેઝીનમાં પ્રકાશિત કરવા માટે મોકલશે.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?







Click it and Unblock the Notifications
