ઘણા લોકોને નથી કરડતા મચ્છર, શું મીઠા લોહીથી એટ્રેક્ટ થાય છે? જાણો કારણ
ઘણા લોકોની ફરીયાદો હોય છેકે તેમને મચ્છર બહુ કરડે છે. આવા લોકો થોડી પણ સેફ્ટીમાં ચુક કરે તો તેમને ખુબ મચ્છર કરડવા લાગે છે. જ્યારે અમુક એવા લોકો પણ હોય છેકે જેમને મચ્છર કરડતા જ નથી. તેમની આસપાસ પણ મચ્છર આવતા નથી. જે લોકોને
ઘણા લોકોની ફરીયાદો હોય છેકે તેમને મચ્છર બહુ કરડે છે. આવા લોકો થોડી પણ સેફ્ટીમાં ચુક કરે તો તેમને ખુબ મચ્છર કરડવા લાગે છે. જ્યારે અમુક એવા લોકો પણ હોય છેકે જેમને મચ્છર કરડતા જ નથી. તેમની આસપાસ પણ મચ્છર આવતા નથી. જે લોકોને મચ્છર વધુ કરડે છે, તેઓ માને છે કે તેમનું લોહી મીઠુ છે, જેના કારણે મચ્છર તેમને ખૂબ કરડે છે. પરંતુ તે એવું નથી. મચ્છર તમને વધુ કરડે છે તેનું કારણ લોહીની મીઠાશ નથી, પરંતુ કંઈક બીજું છે.

મચ્છરોને એનર્જીની જરૂર હોય છે
જ્યારે મચ્છરને એનર્જીની જરૂર હોય છે ત્યારે તેઓ કંઈક મીઠી વસ્તુની શોધમાં હોય છે. ઘણા છોડના રસની જેમ, પરંતુ લોહીની બાબતમાં એવું નથી.

ફક્ત માદા મચ્છર જ કરડે છે
રસપ્રદ વાત એ છે કે ફક્ત માદા મચ્છર જ કરડે છે અને તેનું કારણ લોહીમાં પોષક તત્વોની હાજરી છે. આ પોષક તત્વો માદા મચ્છરોને ઇંડા બનાવવા માટે જરૂરી છે. અને એવું બિલકુલ જરૂરી નથી કે આ લોહી મીઠુ હોવું જોઈએ.

આ રીતે શરીર શોધે છે મચ્છર
મચ્છર તમને કેવી રીતે શોધે છે? વાસ્તવમાં, મચ્છર તમને પોતાનો શિકાર બનાવતા પહેલા કેટલાક સંકેતો મેળવે છે. આ સંકેતો કાર્બન ડાયોક્સાઇડ, ચામડીની ગંધ અને શરીરની ગરમી છે.

બેક્ટેરિયા છે મુખ્ય કારણ
આપણા શરીરમાં રહેતા બેક્ટેરિયા વિવિધ પ્રકારની ગંધ ઉત્પન્ન કરે છે. તેમાં લેક્ટિક એસિડ અને એમોનિયાનો સમાવેશ થાય છે. તેમની ગંધ સીધી શરીરમાંથી આવે છે અને આ જ કારણ છે કે મચ્છર માનવ શરીરને સૂંઘીને આપણી નજીક આવે છે.

અમુક લોકોને આ કારણે નથી કરડતા મચ્છર
હવે પ્રશ્ન એ આવે છે કે મચ્છર કોઈને વધુ કરડે છે, પણ કોઈની આસપાસ ભટકતા નથી. શા માટે? તેની પાછળ ઘણા કારણો છે જેમાં શરીરનું કદ, શરીરનું તાપમાન, પરસેવો, ગર્ભાવસ્થા, શરીર પર રહેતા બેક્ટેરિયા અને બીયર પીવું પણ શામેલ છે.

લંબાઇ અને બોડી હીટ છે કારણ
જો તમે ઊંચા છો, તો તમે મચ્છરો માટે સરળ શિકાર છો. આ સિવાય તમારું શરીર ગરમ હશે તો પણ મચ્છર તમને વધુ કરડે છે, કારણ કે મચ્છરોને ગરમી ગમે છે. આ સાથે જો તમને વધુ પડતો પરસેવો આવે છે, તો મચ્છર તમારા શરીરની ગંધને સરળતાથી ઓળખી શકે છે.

ગર્ભવતીઓને કરડે છે મચ્છર
સગર્ભા સ્ત્રીઓના શરીરમાં ગરમી હોય છે, તેથી તેઓને મચ્છરોનો વધુ ભોગ બને છે. આનું કારણ એ છે કે તેઓ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આ સિવાય મચ્છર તમારા શરીરમાં રહેતા કુદરતી બેક્ટેરિયાથી પણ ખૂબ આકર્ષાય છે. આ સિવાય વધુ બીયર પીનારા લોકો તરફ પણ મચ્છરો વધુ આકર્ષાય છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
