ઘણા લોકોને નથી કરડતા મચ્છર, શું મીઠા લોહીથી એટ્રેક્ટ થાય છે? જાણો કારણ
ઘણા લોકોની ફરીયાદો હોય છેકે તેમને મચ્છર બહુ કરડે છે. આવા લોકો થોડી પણ સેફ્ટીમાં ચુક કરે તો તેમને ખુબ મચ્છર કરડવા લાગે છે. જ્યારે અમુક એવા લોકો પણ હોય છેકે જેમને મચ્છર કરડતા જ નથી. તેમની આસપાસ પણ મચ્છર આવતા નથી. જે લોકોને
ઘણા લોકોની ફરીયાદો હોય છેકે તેમને મચ્છર બહુ કરડે છે. આવા લોકો થોડી પણ સેફ્ટીમાં ચુક કરે તો તેમને ખુબ મચ્છર કરડવા લાગે છે. જ્યારે અમુક એવા લોકો પણ હોય છેકે જેમને મચ્છર કરડતા જ નથી. તેમની આસપાસ પણ મચ્છર આવતા નથી. જે લોકોને મચ્છર વધુ કરડે છે, તેઓ માને છે કે તેમનું લોહી મીઠુ છે, જેના કારણે મચ્છર તેમને ખૂબ કરડે છે. પરંતુ તે એવું નથી. મચ્છર તમને વધુ કરડે છે તેનું કારણ લોહીની મીઠાશ નથી, પરંતુ કંઈક બીજું છે.

મચ્છરોને એનર્જીની જરૂર હોય છે
જ્યારે મચ્છરને એનર્જીની જરૂર હોય છે ત્યારે તેઓ કંઈક મીઠી વસ્તુની શોધમાં હોય છે. ઘણા છોડના રસની જેમ, પરંતુ લોહીની બાબતમાં એવું નથી.

ફક્ત માદા મચ્છર જ કરડે છે
રસપ્રદ વાત એ છે કે ફક્ત માદા મચ્છર જ કરડે છે અને તેનું કારણ લોહીમાં પોષક તત્વોની હાજરી છે. આ પોષક તત્વો માદા મચ્છરોને ઇંડા બનાવવા માટે જરૂરી છે. અને એવું બિલકુલ જરૂરી નથી કે આ લોહી મીઠુ હોવું જોઈએ.

આ રીતે શરીર શોધે છે મચ્છર
મચ્છર તમને કેવી રીતે શોધે છે? વાસ્તવમાં, મચ્છર તમને પોતાનો શિકાર બનાવતા પહેલા કેટલાક સંકેતો મેળવે છે. આ સંકેતો કાર્બન ડાયોક્સાઇડ, ચામડીની ગંધ અને શરીરની ગરમી છે.

બેક્ટેરિયા છે મુખ્ય કારણ
આપણા શરીરમાં રહેતા બેક્ટેરિયા વિવિધ પ્રકારની ગંધ ઉત્પન્ન કરે છે. તેમાં લેક્ટિક એસિડ અને એમોનિયાનો સમાવેશ થાય છે. તેમની ગંધ સીધી શરીરમાંથી આવે છે અને આ જ કારણ છે કે મચ્છર માનવ શરીરને સૂંઘીને આપણી નજીક આવે છે.

અમુક લોકોને આ કારણે નથી કરડતા મચ્છર
હવે પ્રશ્ન એ આવે છે કે મચ્છર કોઈને વધુ કરડે છે, પણ કોઈની આસપાસ ભટકતા નથી. શા માટે? તેની પાછળ ઘણા કારણો છે જેમાં શરીરનું કદ, શરીરનું તાપમાન, પરસેવો, ગર્ભાવસ્થા, શરીર પર રહેતા બેક્ટેરિયા અને બીયર પીવું પણ શામેલ છે.

લંબાઇ અને બોડી હીટ છે કારણ
જો તમે ઊંચા છો, તો તમે મચ્છરો માટે સરળ શિકાર છો. આ સિવાય તમારું શરીર ગરમ હશે તો પણ મચ્છર તમને વધુ કરડે છે, કારણ કે મચ્છરોને ગરમી ગમે છે. આ સાથે જો તમને વધુ પડતો પરસેવો આવે છે, તો મચ્છર તમારા શરીરની ગંધને સરળતાથી ઓળખી શકે છે.

ગર્ભવતીઓને કરડે છે મચ્છર
સગર્ભા સ્ત્રીઓના શરીરમાં ગરમી હોય છે, તેથી તેઓને મચ્છરોનો વધુ ભોગ બને છે. આનું કારણ એ છે કે તેઓ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આ સિવાય મચ્છર તમારા શરીરમાં રહેતા કુદરતી બેક્ટેરિયાથી પણ ખૂબ આકર્ષાય છે. આ સિવાય વધુ બીયર પીનારા લોકો તરફ પણ મચ્છરો વધુ આકર્ષાય છે.
-
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
