ઘણા લોકોને નથી કરડતા મચ્છર, શું મીઠા લોહીથી એટ્રેક્ટ થાય છે? જાણો કારણ
ઘણા લોકોની ફરીયાદો હોય છેકે તેમને મચ્છર બહુ કરડે છે. આવા લોકો થોડી પણ સેફ્ટીમાં ચુક કરે તો તેમને ખુબ મચ્છર કરડવા લાગે છે. જ્યારે અમુક એવા લોકો પણ હોય છેકે જેમને મચ્છર કરડતા જ નથી. તેમની આસપાસ પણ મચ્છર આવતા નથી. જે લોકોને
ઘણા લોકોની ફરીયાદો હોય છેકે તેમને મચ્છર બહુ કરડે છે. આવા લોકો થોડી પણ સેફ્ટીમાં ચુક કરે તો તેમને ખુબ મચ્છર કરડવા લાગે છે. જ્યારે અમુક એવા લોકો પણ હોય છેકે જેમને મચ્છર કરડતા જ નથી. તેમની આસપાસ પણ મચ્છર આવતા નથી. જે લોકોને મચ્છર વધુ કરડે છે, તેઓ માને છે કે તેમનું લોહી મીઠુ છે, જેના કારણે મચ્છર તેમને ખૂબ કરડે છે. પરંતુ તે એવું નથી. મચ્છર તમને વધુ કરડે છે તેનું કારણ લોહીની મીઠાશ નથી, પરંતુ કંઈક બીજું છે.

મચ્છરોને એનર્જીની જરૂર હોય છે
જ્યારે મચ્છરને એનર્જીની જરૂર હોય છે ત્યારે તેઓ કંઈક મીઠી વસ્તુની શોધમાં હોય છે. ઘણા છોડના રસની જેમ, પરંતુ લોહીની બાબતમાં એવું નથી.

ફક્ત માદા મચ્છર જ કરડે છે
રસપ્રદ વાત એ છે કે ફક્ત માદા મચ્છર જ કરડે છે અને તેનું કારણ લોહીમાં પોષક તત્વોની હાજરી છે. આ પોષક તત્વો માદા મચ્છરોને ઇંડા બનાવવા માટે જરૂરી છે. અને એવું બિલકુલ જરૂરી નથી કે આ લોહી મીઠુ હોવું જોઈએ.

આ રીતે શરીર શોધે છે મચ્છર
મચ્છર તમને કેવી રીતે શોધે છે? વાસ્તવમાં, મચ્છર તમને પોતાનો શિકાર બનાવતા પહેલા કેટલાક સંકેતો મેળવે છે. આ સંકેતો કાર્બન ડાયોક્સાઇડ, ચામડીની ગંધ અને શરીરની ગરમી છે.

બેક્ટેરિયા છે મુખ્ય કારણ
આપણા શરીરમાં રહેતા બેક્ટેરિયા વિવિધ પ્રકારની ગંધ ઉત્પન્ન કરે છે. તેમાં લેક્ટિક એસિડ અને એમોનિયાનો સમાવેશ થાય છે. તેમની ગંધ સીધી શરીરમાંથી આવે છે અને આ જ કારણ છે કે મચ્છર માનવ શરીરને સૂંઘીને આપણી નજીક આવે છે.

અમુક લોકોને આ કારણે નથી કરડતા મચ્છર
હવે પ્રશ્ન એ આવે છે કે મચ્છર કોઈને વધુ કરડે છે, પણ કોઈની આસપાસ ભટકતા નથી. શા માટે? તેની પાછળ ઘણા કારણો છે જેમાં શરીરનું કદ, શરીરનું તાપમાન, પરસેવો, ગર્ભાવસ્થા, શરીર પર રહેતા બેક્ટેરિયા અને બીયર પીવું પણ શામેલ છે.

લંબાઇ અને બોડી હીટ છે કારણ
જો તમે ઊંચા છો, તો તમે મચ્છરો માટે સરળ શિકાર છો. આ સિવાય તમારું શરીર ગરમ હશે તો પણ મચ્છર તમને વધુ કરડે છે, કારણ કે મચ્છરોને ગરમી ગમે છે. આ સાથે જો તમને વધુ પડતો પરસેવો આવે છે, તો મચ્છર તમારા શરીરની ગંધને સરળતાથી ઓળખી શકે છે.

ગર્ભવતીઓને કરડે છે મચ્છર
સગર્ભા સ્ત્રીઓના શરીરમાં ગરમી હોય છે, તેથી તેઓને મચ્છરોનો વધુ ભોગ બને છે. આનું કારણ એ છે કે તેઓ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આ સિવાય મચ્છર તમારા શરીરમાં રહેતા કુદરતી બેક્ટેરિયાથી પણ ખૂબ આકર્ષાય છે. આ સિવાય વધુ બીયર પીનારા લોકો તરફ પણ મચ્છરો વધુ આકર્ષાય છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ








Click it and Unblock the Notifications
