તાજમહેલની બાજુમાં 400 કરોડમાં બની આ સુંદર ઈમારત, બનાવતાં લાગ્યા 114 વર્ષ
તાજમહેલની બાજુમાં 400 કરોડમાં બની આ સુંદર ઈમારત
આગરાઃ દુનિયાની 7મી અજાયબી તાજમહેલ પાસે જ વધુ એક લાજવાબ ઈમારત જોવા મળી છે. આ ઈમારત પાછલા 114 વર્ષથી બની રહી હતી, જેના નિર્માણ કાર્યમાં સફેદ સંગેમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈમારતના ગુંબજનો કળશ તડકામાં દૂરથી જ ચમકે છે, જેનું કારણ છે તેના પર લાગેલ હજારો કિલો સોનું. વર્ષ 1904માં કામ કરવા આવેલ મજૂરોની ચોથી પેઢી હવે આ ઈમારતને અંતિમ રૂપ આપી રહી છે.

સ્વામી બા ઈમારતમાં 5 પ્રકારના પથ્થરનો ઉપયોગ થયો
આગરામાં રાધાસ્વામી મતના સંસ્થાપક પૂરન ધની સ્વમી મહારાજની સમાધિના રૂપમાં સ્થાપિત આ ઈમારતનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. નિર્માતાઓએ આ બિલ્ડિંગના નિર્માણ કાર્યમાં 5 પ્રકારના પથ્થરોનો ઉપયોગ કર્યો. જેમાં સૌથી વધુ સફેદ સંગેમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

400 કરોડમાં બની આ ઈમારત
સ્વામી બાગના ચેરમેન સંજય કપૂર મુજબ ઈમારતમાં લગભગ 400 કરોડ ખર્ચવામાં આવ્યા છે. આ ઈમારતના નિર્માણ કાર્યમાં તેમણે ભારે જહેમત ઉઠાવવી પડી. આ ઈમારતનું મોટું કારણ છે ગુંબજ પર લાગેલ 155 કિલો સોનું. આને લોકો સ્વામી બાગના નામથી ઓળખે છે. બકૌલ સંજયે કહ્યું કે, 'સ્વામી મહારાજની જન્મજયંતિ ઓગસ્ટ મહિનામાં આવે છે માટે આ વર્ષે એ મહિને ઈમારતનું 99 ટકા કામ પૂરું કરી લેવામાં આવ્યું હતું. ગત ઓગસ્ટ સ્વામી મહારાજની 200મી જન્મ જયંતિ યુજવાઈ હતી.'

આવી રીતે સોનું લગાવાયું
આ ઈમારત બનાવવામાં 100થી પણ વધુ વર્ષ એટલા માટે લાગ્યાં કેમ કે આ ઈમારતમાં લગાવેલ સફેદ અને ગુલાબી રંગના સંગેમરમર મકરાના રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા હતા. લીલા રંગના સંગેમરમર વડોદરાથી લાવવામાં આવ્યા હતા. અબરી સંગેમરમર પાલી, જૈસલમેરથી લાવવામાં આવ્યા હતા. દારચીની પત્થર ગ્વાલિયર, પચ્ચીકારી અને ઝડાઈ માટે કીમતી પથ્થર અકીક, મરગઝ, સિમાક, રતક, ગવા, બિલ્લૌર, લાજવર્દ, ગૌરી, પિતોનિયા, ડૂંગાસરા, યશબ વગેરે દક્ષિણ ભારતથી લાવવામાં આવ્યા હતા. વર્ષોની મહેનત બાદ માત્ર મંદિરનો ગુંબજ જ તૈયાર થયો હતો. ગુંબજ પર 15 કિલો સોનાની પરત અને 140 કિલો સોનાની કોતરણી કરવામાં આવી છે.

દરરોજ 300 મજૂરોએ કામ કર્યું
ઈમારત સાથે જોડાયેલ અધિકારીઓનું કહેવું છે કે ગગન ચૂંબી આ ઈમારત બનાવવામાં દરરોજ 300 મજૂરોએ કામ કર્યું છે. આ ઈમારત 52 પિલોર પર બનાવવામાં આવેલ છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
