સાવધાન! થાઈલેન્ડનું આ ડરામણું મંદિર નરકથી ઓછું નથી, ફોટા જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
બૌદ્ધ મઠ હંમેશા શાંતિ અને સાદગી માટે જાણીતા છે. આ મઠ એક એવી જગ્યા હોય છે, જ્યાં જવા પર તમને હંમેશા શાંતિ મહેસૂસ થાય છે, પરંતુ થાઈલેન્ડમાં એક એવો બૌદ્ધ મઠ છે
બૌદ્ધ મઠ હંમેશા શાંતિ અને સાદગી માટે જાણીતા છે. આ મઠ એક એવી જગ્યા હોય છે, જ્યાં જવા પર તમને હંમેશા શાંતિ મહેસૂસ થાય છે, પરંતુ થાઈલેન્ડમાં એક એવો બૌદ્ધ મઠ છે, જે તમને જીવતેજીવ નર્કનો અહેસાસ કરાવશે. દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલા દેશ થાઈલેન્ડના ચિયાંગ શહેરમાં 'વોટ માઈ કેટ નોઈ' નામના મંદિરમાં લોકો દેવી દેવતા નહીં પરંતુ નર્કના દર્શન કરવા માટે આવે છે.
આ મંદિરમાં કોઈ દેવતાની મૂર્તિ નથી પરંતુ અહીં મૃત્યુ બાદ આત્માને પાપ માટે મળતી સજાઓ દર્શાવાઈ છે. જેમાં જીવતેજીવ કરેલા પાપ બદલ નર્કમાં કેવી પીડા અપાય છે તેવી મૂર્તિઓ બનાવાયેલી છે. આ મૂર્તિઓ જોઈને ડરના માર્યા તમને કંપારી છૂટી જશે.
આ પણ વાંચો: ગુજરાતના આ મંદિરમાં થાય છે મુસ્લિમ મહિલાની પૂજા
થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી લગભગ 700 કિલોમીટર દૂર ચિયાંગ માઈ શહેરમાં આવેલું આ નર્ક મંદિર આખી દુનિયાનું એકમાત્ર મંદિર છે.

બૌદ્ધ ભિક્ષુએ કરાવ્યું હતું નિર્માણ
આ મંદિર બનાવવાનો મૂળ વિચાર એક બૌદ્ધ ભિક્ષુ પ્રા કરુ વિશાનજલિકોનનો હતો. તેઓ આ મંદિર દ્વારા નર્કમાં પાપ માટે અપાતી સજા દર્શાવવા માગતા હતા, જેથી લોકો સજાથી બચવા માટે સારા કર્મ પર ધ્યાન આપે. હવે આ મંદિર ધીરે ધીરે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યુ છે.

મૂર્તિના માધ્યમથી દર્શાવી નર્કની સજા
ફક્ત નામથી જ નહીં, પરંતુ આ મંદિરમાં પ્રવેશ કર્યા બાદ તરત જ નર્ક જેવો અહેસાસ થવા લાગે છે. આ મંદિરની ખાસિયત છે કે તેમાં મોટી મોટી ભયાનક મૂર્તિઓ લાગેલી છે. જે આત્માને પાપના આધારે યાતના આપી રહેલી દેખાય છે. આ મૂર્તિઓ દ્વારા જુદા જુદા પ્રકારની ભયંકર પીડા દર્શાવાઈ છે. કેટલીક મૂર્તિઓ લોહીની જેમ લાલ રંગથી રંગાયેલી છે, જે તમને સાક્ષાત નર્કનો અહેસાસ કરાવશે. સૌથી મોટી વાત છે કે આ મંદિરમાં પર્યટકો કે શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ નિશુલ્ક છે.

અલગ અલગ સજા વિશે માહિતી
આ મંદિરમાં વિશાળકાય મૂર્તિઓના માધ્યમથી જુદા જુદા પાપને આધારે અલગ અલગ પ્રકારની પીડા દર્શાવાઈ છે. જેમ કે ચોરી કરનાર ચોરના હાથ મૃત્યુ બાદ કાપી નાખવામાં આવે છે.

બળાત્કાર કરવા પર
આ મૂર્તિઓના માધ્યમથી દર્શાવાયું છે કે જો કોઈ વ્યક્તિ વ્યાભિચાર કે બળાત્કાર જેવું પાપ કરે છે તો તેના યૌન અંગો દ્વારા તેને સજા આપવામાં આવે છે.

ગર્ભપાત કરતી મહિલાઓની મૂર્તિ
આ મંદિરમાં જે મૂર્તિ સૌથી વધુ લોકો જુએ છે તે છે ગર્ભપાત કરતી મહિલાઓની મૂર્તિ. થાઈલેન્ડમાં ગર્ભપાત કરાવવો ગેરકાયદે છે. એટલે આ મંદિરમાં ગર્ભપાતને પણ પાપની યાદીમાં સમવાયું છે.

ચીનમાં પણ છે આવું મંદિર
એશિયામાં થાઈલેન્ડ ઉપરાંત સાઉથ કોરિયા, ચાઈના અને જાપાનમાં પણ નર્ક મંદિર બનાવાયા છે, જેમાંથી મોટા ભાગના બૌદ્ધ મઠ છે. ચીનના તાઓ મંદિરમાં પણ બિલકુલ આ જ થીમ પર નિર્માણ કરાયું છે.

ગરૂડ પુરાણમાં પણ કહેવાઈ છે પાપની સજા
થાઈલેન્ડમાં પ્રાચીન સમયમાં બૌદ્ધ અને હિન્દુ ધર્મનો પ્રભાવ રહ્યો છે. એટલે અહીંની સભ્યતા અને સંસ્કૃતિ પર ભારતીય સંસ્કૃતિની અસર જોઈ શકાય છે. આ મંદિરમાં એવા પાપ વિશે દર્શાવાયું છે, જેનો ઉલ્લેખ હિંદુ ધર્મગ્રંથ ગરૂડ પુરાણમાં પણ છે. ગરૂડ પુરાણમાં પાપના આધારે મૃત્યુ બાદ 28 પ્રકારની જુદી જુદી સજાનો ઉલ્લેખ છે, જે મૃત્યુ બાદ યમરાજ આપે છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
