આ ટેકનોલોજી મરેલા માણસને ફરીથી જીવતા કરશે, જાણો શું છે ક્રાયોનિક્સ ટેકનોલોજી
કહેવાય છે કે ઉપર ગયા પછી એટલે કે મર્યા પછી કોઈ પરત ફરી શકતુ નથી. જો કે હવે વૈજ્ઞાનિકોએ આ વાતને ખોટી સાબિત કરતો એક દાવો કર્યો છે. વૈજ્ઞાનિકોનું માનીએ તો આવનારા સમયમાં મરેલા માણસને ફરીથી જીવતો કરી શકાશે.
અમેરિકાના વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે આવનારા સમયમાં ક્રાયોનિક્સ ટેકનિકથી મરેલા માણસને પુનર્જીવિત કરી શકાશે. આ ક્રાયોનિક્સ ટેકનોલોજીની વાત કરીએ તો, અમેરિકાના એરિઝોના પ્રાંતમાં મૃત લોકોના મૃતદેહને ખાસ ટેક્નોલોજીથી ઠંડા રાખવામાં આવી રહ્યા છે. જેથી ભવિષ્યમાં જો કોઈ ટેક્નોલોજી વિકસે તો તેને ફરીથી જીવિત કરી શકાય.

વિદેશમાં લોકો પોતાના સ્વજનોના મૃતદેહોને સુરક્ષિત રાખવા માટે આ ટેકનિક માટે ઘણા પૈસા ખર્ચી રહ્યા છે. ક્રાયોનિક્સ નામની આ ટેકનિકમાં શરીરના ભાગોને ખૂબ જ ઠંડા તાપમાનમાં રાખવામાં આવે છે.
ક્રાયોનિક્સ ટેક્નોલોજી વિશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 100 વર્ષ પહેલા ચંદ્ર પર જવુ એક કલ્પના હતી પરંતુ હાલ આધુનિક ટેક્નોલોજીથી તે શક્ય છે. હવે વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ભવિષ્યમાં ટેક્નોલોજી એટલી વિકસિત થઈ શકે છે કે ક્રાયોનિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે મૃત માનવીઓને જીવિત કરી શકીશું. અમેરિકન વૈજ્ઞાનિકો સતત સીપીઆર ટેક્નોલોજીથી મૃત મનુષ્યોને ફરીથી જીવતા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મૃત બાળકો અને શિશુઓ પણ અહીં સાચવવામાં આવે છે. આ સિવાય માનવ શુક્રાણુ પણ સચવાય છે. મૃત શરીરને ક્રાયોનિક્સ ટેકનિકમાં સાચવવાનો ખર્ચ 2 લાખ યુએસ ડોલર છે. તેને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરો તો તે એક કરોડ રૂપિયાથી વધુ થશે. જ્યારે મગજને સાચવવાનો ખર્ચ 80 હજાર ડોલર છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
