કિન્નરના મોત બાદ તેના શરીર સાથે શું કરાય છે? કિન્નરો સાથે જોડાયેલા આ રહસ્ય જાણીને તમારા હોશ ઉડી જશે
કિન્નરોની દુનિયા રહસ્યથી ભરેલી છે. તે ક્યાં અને કેવી રીતે રહે છે તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. લોકોને દુવાઓ આપતા કિન્નરોની જીંદગી દુખોથી ભરેલી છે. કિન્નરોની જીંદગી વિશે તો બધા જાણે પણ તેના મોત અને અંતિમ ક્રિયા વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે.
ભારતમાં શુભ પ્રસંગોમાં કિન્નરોને ખુશ કરવા માટે ઘણા પૈસા આપવામાં આવે છે અને માન્યતા છે તે તેમનો શ્રાપ હકિકતમાં લાગે છે. લોકો એટલા માટે જ કિન્નરોને દુઃખી કરવાનું કે ગુસ્સો કરવાનું ટાળે છે.

મોટાભાગના લોકો કિન્નર સમાજના રહસ્યોથી અજાણ છે. કિન્નરો પણ પોતાની ઘણી બાબતોને દુનિયાથી છુપાવીને રાખવાનું પસંદ કરે છે. આજે અમે તમને આવા જ કેટલાક રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ.
સામાન્ય માણસનું મૃત્યુ થાય તો દિવસે જ અંતિમ યાત્રા કાઢવામાં આવે છે પરંતુ કિન્નરો અંતિમ સંસ્કાર રાતે કરે છે. કિન્નર સમાજ પોતાના અંતિમ સંસ્કારને સામાન્ય લોકોની નજરથી દૂર રાખવા માંગે છે. આટલા માટે જ તેમની અંતિમયાત્રા રાત્રે જ કાઢવામાં આવે છે.
સામાન્ય લોકોની જેમ કિન્નરોની અંતિમયાત્રામાં અન્ય કોઈ સમુદાયના લોકોને જોડાવાની મંજુરી આપવામાં આવતી નથી. કિન્નરો સમાજનો નિયમ છે કે તેના અંતિમ સંસ્કારમાં તેના બંધુ જ ભાગ લઈ શકે છે. અને કોઈપણ સમાજમાં આની મંજૂરી નથી.
કિન્નરોના મૃત્યુ બાદ તેના શરીરને બાળવામાં આવતું નથી. તે તેના શરીરને બાળવાને બદલે દફનાવે છે. સૌથી મોટી વાત એ છે કે સામાન્ય લોકોની કિન્નરના મોત પર તેની અંતિમયાત્રામાં કોઈ રડતું નથી. આંસુ વહાવવાની મનાઈ હોય છે.
માન્યતા છે કે પાપી લોકો કિન્નર બનીને જન્મે છે. જ્યારે કોઈ કિન્નર મૃત્યુ પામે છે ત્યારે તેને આ નરક જેવી દુનિયામાંથી મુક્તિ મળી તેનો ઉત્સવ ઉજવવામાં આવે છે.
કિન્નર સમાજ અન્ય લોકોને પ્રગતિ અને સુખ માટે આશીર્વાદ આપે છે. પરંતુ પોતાને માટે આ લોકો ફક્ત એક જ આશીર્વાદ માંગે છે. દુનિયાના દરેક કિન્નર પ્રાર્થના કરે છે કે તે આગામી જન્મમાં ફરી કિન્નર ન બને.
ચૌકાવનારી બાબત એ છે કે, કિન્નરના મૃત્યુ બાદ તેના શરીરને જૂતા અને ચપ્પલથી મારવામાં આવે છે. કહેવાય છે કે આનાથી તેમના પાપ ઓછા થાય છે.












Click it and Unblock the Notifications
