3જી કેસ : SCએ સરકારને એરટેલ સામે પગલાં લેતા અટકાવી

સુપ્રીમ કોર્ટે સબંધિત પક્ષો પાસેથી 11 એપ્રિલે યોજાનારી આ કેસની આગલી સુનવણી સુધી સ્થિતિ જાળવી રાખવા માટે જણાવ્યું છે. મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીર તથા ન્યાયાધીશ વિક્રમજીત સેનની પીઠે જણાવ્યું કે મુદ્દાની સુનવણી 11 એપ્રિલના રોજ થવા દેવી જોઇએ. જ્યાં સુધી સંબંધિત પક્ષોને મામલામાં યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપવામાં આવે ત્યાં સુધી ટેલિકોમ વિભાગને કોઇ દંડાત્મક કાર્યવાહી નહીં કરવા માટે જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે ભારતી એરટેલની એ અરજી પર સુનવણી કરવાનું શરૂ કર્યું છે જેના પર દિલ્હી હાઇકોર્ટના ચૂકાદાને પડકારવામાં આવ્યો છે. હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં કેન્દ્રના એ નિર્ણય પર પોતાની સહમતી દર્શાવી હતી જેમાં ટેલિકોમ કંપનીના 3જી રોમિંગ સમજુતીને ગોરકાયદેસર કહેવામાં આવ્યું છે.
ઉચ્ચ ન્યાયાલયે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડની અરજી પર આ આદેશ આપ્યો હતો. અરજીમાં એકલ પીઠના આદેશને પડકારતા કહેવામાં આવ્યું હતું કે તેણે 3જી માટે દૈનિક ધોરણે ભારે નુકસાન થઇ રહ્યું છે અને ભારતી તેનો મફત ઉપયોગ કરી રહી છે.
ટેલિકોમ વિભાગે 15 માર્ચના રોજ એક સરક્યુલર જાહેર કરીને ભારતને સાત સર્કલોમાં જ્યાં તેની પાસે સ્પેક્ટ્રમ નથી તેમાં 3જી આંતર સર્કલ રોમિંગ સુવિધા આપવાથી રોકવામાં આવી હતી. આ ઉપરાંત ભારતી પર લાયસન્સની શર્તોનું ઉલ્લંઘન કરીને પ્રતિ સર્કલ રૂપિયા 50 કરોડના હિસાબથી રૂપિયા 350 કરોડ રૂપિયા દંડ પણ ફટકાર્યો હતો.












Click it and Unblock the Notifications
