સેવિંગ બેંક એકાઉન્ટ બીજી બેંકમાં બદલવાના 5 ફાયદા
આપ આપની બેંકની કામગીરીથી ખુશ નથી? આપને એમ લાગી રહ્યું છે કે આપની બેંક કરતા અન્ય બેંકોમાં વધારે વ્યાજ મળે છે અને અન્ય બેંકની સેવા વધારે સારી છે? તો સમય આવી ગયો છે કે આપ આપનું સેવિંગ બેંક એકાઉન્ટ એક બેંકમાંથી બીજી બેંકમાં ખોલાવો. બેંક બદલવા માટેના અઢળક કારણો હોય છે. અત્યારના સમયે બેંક બદલવાનો સારો સમય શા માટે છે તે જાણીએ...

વધુ સારી ગ્રાહક સેવા
આપે બેંકમાં ખાતુ ખોલાવ્યું હોય ત્યારે તેની સેવા સારી હોય, પણ સમય જતા તેની સેવા કથળી હોય, બેંકના કર્મચારીઓ આપની સમસ્યાનો યોગ્ય જવાબ અથવા સમયસર ઉકેલ લાવતા ના હોય તો વધુ સારી ગ્રાહક સેવા મેળવવા માટે આપે બેંક બદલની જોઇએ.

વધારે સારી એટીએમ સેવા
આપને એમ લાગતું હોય કે આપ જે વિસ્તારમાં રહો છો અને જ્યાં કામ કરો છે તે વિસ્તારમાં આપની વર્તમાન બેંકની એટીએસ સેવા સારી નથી. અથવા તો બ્રાન્ચ દૂર છે તો આપ બેંક બદલી શકો છો.

બેંક મેનેજરનો એટિટ્યુડ પારખો
આપ બેંક બદલવાનું વિચારી રહ્યા હોવ ત્યારે બેંક બદલતા પહેલા વર્તમાન બેંકના બ્રાન્ચ મેનેજરને મળીને આપની સમસ્યાઓનો ઉકેલ માંગવો જોઇએ. જો આપને યોગ્ય સંતોષકારક કામગીરીનું આશ્વાસન ના મળે તો બેંક બદલવી જોઇએ. કારણ કે બેંકના સારા સંચાલનનો આધાર તેમની બ્રાન્ચના મેનેજર પર પણ રહેલો છે.

વધારે વ્યાજદર મેળવો
આપની વર્તમાન બેંક કરતા અન્ય બેંકમાં વધારે વ્યાજ આપવામાં આવતું હોય તો પણ આપ બેંક બદલી શકો છો. આમ કરવાથી આપને વધુ વ્યાજનો લાભ મળશે. લાંબા ગાળે વ્યાજની રકમ મોટી હોય છે.

ઓછી ફી ચૂકવો
સામાન્ય રીતે બેંકો તેમની સુવિધાના બદલામાં દર વર્ષે કેટલીક ફી ચાર્જ કરતી હોય છે. જો આપની બેંકમાં આ ફી ખૂબ વધારે હોય તો આપ બેંક બદલીને ઓછી ફી ચૂકવીને ફાયદો મેળવી શકો છો.

વધુ સુવિધાઓ મેળવો
કેટલીક બેંકમાં સુવિધાઓ ઓચી હોય છે. જેમ કે વર્તમાન સમયમાં આપવામાં આવતી ઓનલાઇન બિલ પેમેન્ટ્સ, મોબાઇલ બેંકિંગ, ઓનલાઇન બેંકિંગ વગેરે. આપની વર્તમાન બેંક આ સુવિધાઓ આપતી ના હોય તો આપ બેંક બદલીને આ લેટેસ્ટ સુવિધાઓનો ફાયદો મેળવી શકો છો.

આપની સુવિધાઓનો રાખો ખ્યાલ
આપ બેંક બદલતા પહેલા આપની વર્તમાન બેંકની અને જે બેંકમાં નવું ખાતું ખોલાવવા માંગો છો તેના પોઝિટિવ અને નેગેટિવ પોઇન્ટસને સરખાવીને નિર્ણય લેવો જોઇએ.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ










Click it and Unblock the Notifications
