Jioના નુક્શાનમાં એરટેલ અને આઇડિયાનો આમ થયો ફાયદો

શેરબજારમાં શુક્રવારે જીયોના શેર પડ્યા હતા અને ભારતીય એરટેલ અને આઇડિયાના વધ્યા હતા.

રિલાયન્સ જીયોએ ગુરુવારે જલ્દીમાં જલ્દી તેની ઓફર સમર સરપ્રાઇઝને પાછી લેવાનો નિર્ણય કર્યો. ટ્રાઇના આદેશ પછી જીયોએ આ વાત સ્વીકારી હતી. જો કે આ વાતની જાહેરાત થતા જ ચોખ્ખો ફાયદો જો કોઇને થયો હોય તો તે છે ભારતીય એરટેલ અને આઇડિયાને. શુક્રવારે ભારતીય શેયર બજારમાં ભારતીય એરટેલ અને આઇડિયાના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. અને આ તેજી સાથે જ શેર માર્કેટ શુક્રવારે બંધ થયું હતું. તો બીજા પક્ષે રિલાયન્સના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

jio airtel

નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ભારતીય એરટેલ લિમિટેડ 0.89 ટકાની તેજી સાથે 344.85એ તેનો વેપાર બંધ કર્યો હતો. તેનું દિવસનો ઉચ્ચત્તમ સ્તર 350 અને નિમન્ન સ્તર 341.75 રહી હતી. સાથે જ 11:30 વાગે એનએસઇ પર ભારતીય એરટેલ લિમિટેડ 2.17 ટકાના વધારા સાથે 349.05 સ્તર પર ચાલી રહ્યો હતો. તો બીજી તરફ આઇડિયા સેલ્યુલર લિમિટેડની વાત કરીએ તો તે 1.04 ટકાના વધારા સાથે 87.50 સ્તર બંધ થયો હતો. તેનું ઉચ્ચતમ 89.50 અને નિમ્ન 87.15 સ્તર રહ્યું હતું. સાથે જ 11:30 વાગ્યા સુધી તેના શેરમાં 1.85 ટકાની તેજી જોવા મળી, તેણે 88.20ના સ્તરે વેપાર બંધ કર્યો.

રિલાયન્સ
જો કે સમર ઓફરના કારણે રિલાયન્સના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. 2.74 ટકાના નુક્શાન સાથે તેણે 39.05 સ્તરે વેપાર બંધ કર્યો. સવારે 11:30 વાગ્યા સુધી 1.37ના નીચેલા દર સાથે તેણે 39.60ના સ્તરે વેપાર બંધ કર્યો હતો. આમ ટ્રાઇના આદેશ પછી જીયોના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X