RBI ની એક્શન બાદ Paytm એક્શનમાં, એડવાયઝરી કમિટીનું ગઠન કર્યુ
આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર રોક લગાવ્યા બાદ હવે પેટીએમ એક્શનમાં આવી છે. પેટીએમે એડવાઝરીની કમિટીની રચના કરી છે.
અહેવાલો અનુસાર, વન 97 કોમ્યુનિકેશન્સના બોર્ડે સેબીના પૂર્વ અધ્યક્ષ એમ. દામોદરનના નેતૃત્વમાં એક હાઈ પ્રોફાઇલ જૂથ સલાહકાર સમિતિની રચના કરી છે.

આ પેનલમાં બેંકિંગ ઉદ્યોગના ભૂતપૂર્વ નિયમનકારો અને દિગ્ગજોનો સમાવેશ થાય છે. આ સમિતિ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડને પાલન અને નિયમન અંગે સલાહ આપશે. આ સલાહકાર સમિતિ બોર્ડ સાથે મળીને કામ કરશે.
OCLએ જણાવ્યું કે, સમિતિમાં અનુભવી વ્યાવસાયિકો જેમ કે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ MM ચિતાલે અને RBI દ્વારા નામાંકિત બૅન્કિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ બોર્ડ ઑફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય એમએમ ચિતાલેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત પેનલમાં આંધ્ર બેંકના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર. રામચંદ્રન જેવા બેન્કિંગ નિષ્ણાતોનો પણ સમાવેશ કરાયો છે.
અન્ય સભ્યોમાં મુકુંદ મનોહર ચિતાલે પણ નાણાકીય ક્ષેત્રે આદરણીય નામ છે. ચિતાલે ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ છે અને એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પર રાષ્ટ્રીય સલાહકાર સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે.
રામચંદ્રન રાજારામન આંધ્ર બેન્કના ભૂતપૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, સિન્ડિકેટ બેન્કના ભૂતપૂર્વ સંપૂર્ણ સમયના ડિરેક્ટર અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનમાં સલાહકાર બોર્ડના સભ્ય છે.
OCL એ તેના એક નિવેદનમાં જણાવ્યું કે, કંપનીનું મેનેજમેન્ટ નિયમનકારો અને અનુપાલનને વળગી રહીને ટકાઉ બિઝનેસ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. RBIની કાર્યવાહી બાદ Paytmના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે પેટીએમનો શેર 6.16 ટકાના ઘટાડા સાથે 419.15 પર બંધ થયો.












Click it and Unblock the Notifications
