ધારા 370 દૂર થયા પછી કાશ્મીરમાં બિઝનેસમાં 100% વધારો થઇ શકે છે
કલમ 370 હટવાની ઉજવણી જમ્મુ-કાશ્મીર સહિત આખો દેશ કરી રહ્યો છે. હવે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે.
કલમ 370 હટવાની ઉજવણી જમ્મુ-કાશ્મીર સહિત આખો દેશ કરી રહ્યો છે. હવે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયની અસર હવે આ રાજ્યના ધંધા પર પડશે, તે ખરાબ અસર નથી, પણ 100% બિઝનેસ થવાની અસર જોવા મળી શકે છે. કાશ્મીરમાં ધંધો કરનારાઓ કહે છે કે સરકારના આ નિર્ણયથી કાશ્મીરમાં દરેક તેમનો ધંધો કરી શકશે, જેનાથી કાશ્મીરનો કુલ બિઝનેસ એક વર્ષમાં બમણો થઈ શકે છે.
સામાન્ય ભારતીયોએ ડરી-ડરીને કામ કરવાની જરુર નથી
મની ભાસ્કરના અહેવાલ મુજબ હવે કાશ્મીરમાં સામાન્ય હિન્દુસ્તાનોએ ડરી-ડરીને કામ કરવાની જરુર રહેશે નહીં. હવે મોટા શહેરોના ઉદ્યોગપતિઓ કાશ્મીરમાં પોતાની ઓફિસ ખોલી શકશે અને તેનો સીધો ફાયદો ત્યાંના બિઝનેસને થશે. રિપોર્ટ અનુસાર ક્યાંક એવો ડર બની રહેતો હતો પણ હવે તે ખતમ થઇ ગયો છે. કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના સરકારના નિર્ણયથી કાશ્મીરના સફરજનના ખેડુતોના બિઝનેસમાં ઘણો વધારો થશે. કાશ્મીરમાં કોઈ પ્રતિબંધ વિના અવર-જવરથી કાશ્મીરની બહારના વેપારીઓમાં હરીફાઈ થશે અને તેનાથી કાશ્મીરના સફરજન વેપારીઓને ફાયદો થશે.
આ પણ વાંચો: જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370ના ફેસલા બાદ પાકિસ્તાનમાં હાહાકાર, શેર માર્કેટ ધડામ
કાશ્મીરથી હસ્તકલામાં વધારો થવાની ઘણી સંભાવનાઓ છે
આ સાથે કાશ્મીરથી હસ્તકલામાં વધારો થવાની ઘણી સંભાવનાઓ છે. કાશ્મીરની હસ્તકલાની દુનિયામાં ઘણી માંગ છે, પરંતુ પ્રતિબંધિત વાતાવરણને કારણે ધંધામાં સંભાવના પ્રમાણે વિકાસ થઈ શક્યો ન હતો. હવે કાશ્મીરથી હસ્તકલાનો વ્યવસાય નોંધપાત્ર રીતે વધશે. તો કાઉન્સિલ કાશ્મીરમાં પણ સરળતાથી વેપાર મેળાનું આયોજન કરી શકશે. આ સિવાય કાશ્મીરથી કાર્પેટનો ઘણો નિકાસ કરવામાં આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા પછી એક વર્ષમાં, કાશ્મીરથી થનારી નિકાસ બમણી એટલે કે 100% થઈ શકે છે.
આ પણ વાંચો: આ છે કમાણીમાં ટૉપ 10 સેલિબ્રિટી, જાણો કોઈ ભારતીય છે કે નહીં