એરટેલ 7 3જી સર્કલમાં નવા ગ્રાહકો નહીં બનાવી શકે

એરટેલને રાહત આપતા અદાલતે જણાવ્યું કે 7 સર્કલોમાં 3જી સેવા આપવાના કારણે ભારતી એરટેલ પર લગાવવામાં આવેલો રૂપિયા 350 કરોડનો દંડ ભરવા માટે ટેલિકોમ વિભાગ કંપનીની વિરુદ્ધ કોઇ દંડાત્મક કાર્યવાહી કરશે નહીં.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે આ આદેશ ભારતી એરટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનવણીના ક્રમમાં જ આવ્યો છે. જેમાં કંપનીએ દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. ટેલિકોમ મંત્રાલયે તેના પગલે કંપનીને તમામ સર્કલોમાં 3જી સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
ટેલિકોમ વિભાગે ભારતી એરટેલ, વોડાફોન અને આઇડિયા સેલ્યુલર વચ્ચે થયેલી રોમિંગ સમજુતીને ગેરકાયદેસર ઠેરવી હતી. આ સમજુતી અંતર્ગત ભારતી એરટેલ એવા સર્કલમાં પણ પોતાના ગ્રાહકોને 3જી સેવા પૂરી પાડી રહી હતી, જેના માટે તેની પાસે લાયસન્સ ન હતું. અદાલત આ કેસમાં આગળની સુનવણી 9 મેના રોજ કરશે.












Click it and Unblock the Notifications
