For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એરટેલ 7 3જી સર્કલમાં નવા ગ્રાહકો નહીં બનાવી શકે

|
Google Oneindia Gujarati News

3g
નવી દિલ્હી, 11 એપ્રિલ : આજે 3જી કેસની સુનવણીમાં કોર્ટે એરટેલને થોડી રાહત આપી છે. આજે મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીર અને ન્યાયમૂર્તિ વિક્રમજીત સેનની બેંચે રિલાયન્સ કોમ્યુનિકેશન્સની એક અરજીની સુનવણી કરતા જણાવ્યું કે એરટેલ 7 સર્કલોમાં નવા 3જી ગ્રાહકો બનાવી શકશે નહીં.

એરટેલને રાહત આપતા અદાલતે જણાવ્યું કે 7 સર્કલોમાં 3જી સેવા આપવાના કારણે ભારતી એરટેલ પર લગાવવામાં આવેલો રૂપિયા 350 કરોડનો દંડ ભરવા માટે ટેલિકોમ વિભાગ કંપનીની વિરુદ્ધ કોઇ દંડાત્મક કાર્યવાહી કરશે નહીં.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે આ આદેશ ભારતી એરટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનવણીના ક્રમમાં જ આવ્યો છે. જેમાં કંપનીએ દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. ટેલિકોમ મંત્રાલયે તેના પગલે કંપનીને તમામ સર્કલોમાં 3જી સેવા બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

ટેલિકોમ વિભાગે ભારતી એરટેલ, વોડાફોન અને આઇડિયા સેલ્યુલર વચ્ચે થયેલી રોમિંગ સમજુતીને ગેરકાયદેસર ઠેરવી હતી. આ સમજુતી અંતર્ગત ભારતી એરટેલ એવા સર્કલમાં પણ પોતાના ગ્રાહકોને 3જી સેવા પૂરી પાડી રહી હતી, જેના માટે તેની પાસે લાયસન્સ ન હતું. અદાલત આ કેસમાં આગળની સુનવણી 9 મેના રોજ કરશે.

English summary
Airtel can not make new customers in 7 3G circles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X