એરટેલ, વોડાફોને કોલ રેટ્સ વધાર્યા, ડિસ્કાઉન્ટ ઘટાડ્યું
નવી દિલ્હી, 14 એપ્રિલ : દેશની અગ્રણી ટેલિકોમ કંપનીઓએ ડિસ્કાઉન્ટ ઘટાડીને કોલિંગ રેટમાં વધારો કર્યો છે. આ દ્વારા કંપનીઓએ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં આવનારા સમયમાં ભાવ વધારાની તૈયારીઓ કરી લીધી છે. ટેલિકોમ કંપનીઓએ તેમના કોલ પેક અને વાઉચર વેલિડિટી ઓછી કરી દીધી છે. આ સાથે એરટેલે ઇન્ટરનેશલ પેક મોંઘા કર્યા છે.
એરટેલે 125 રૂપિયાના ઇન્ટરનેટ પેકની વેલેડિટી 28 દિવસમાંથી ઘટાડીને 21 દિવસ કરી દીધી છે. આ જ રીતે હવે 1 જીબી ઇન્ટરનેટ ડેટા માટે 30 દિવસની વેલેડિટી પર 170 રૂપિયા ચૂકવવા પડશે.

એરટેલે પોતાના 46 રૂપિયાના વાઉચરમાંથી મળનાર ફાયદાને પણ મોંઘો કરી દીધો છે. અગાઉ આ વાઉચરમાંથી રિચાર્જ કર્યા બાદ એસટીડી અને લોકલ કોલ દરો ઘટાડીને 45 પૈસા પ્રતિ મિનિટના દરે થતા હતા, પરંતુ હવે આ વાઉચરથી લોકલ અને એસટીડી કોલ દરો 5 પૈસા વધુ એટલે કે 50 પૈસા પ્રતિ મિનિટના હશે.
આજ રીતે 38 રૂપિયાના રિચાર્જ વાઉચરમાંથી મળનાર ફાયદાને યથાવતા રાખતા તેની કિંમતને વધુ વધારી દીધી છે. એક રિટલેરના મતે 38 રૂપિયાથી રિચાર્જ કર્યા બદા એસટીડી કોલ રેટ ઘટીને 40 પૈસા પ્રતિ મિનિટ થઇ જતા હતા. પરંતુ હવે તેના માટે ગ્રાહકને 48 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.
જાણીતી ટેલિકોમ કંપની વોડાફોને પણ પ્રમોશનલ પેકની વેલિડિટી 30 દિવસથી ઘટાડીને 24 દિવસ કરી દીધી છે. વોડાફોન ઇન્ડિયાના એક પ્રવક્તાએ કહ્યું કે કોઇપણ બેસ ટેરિફમાં કોઇપણ પ્રકારનો કોઇ ફેરફાર કરાયો નથી. પરંતુ તેમનું કહેવું હતું કે પ્રમોશનલ પેક સમય સમય પર બદલાતા રહે છે.
આઇડિયાએ પણ પોતાના કેટલાંક વાઉચર્સની વેલિડિટીમાં ફેરફાર કરતાં તેની વેલેડિટીને 30 દિવસથી ઘટાડીને 24 દિવસ કરી દીધા છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
