For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા રામદેવનો કપડાનો શોરૂમ લોન્ચ, પતંજલિ જીન્સ ખરીદી શકશો

પતંજલિ પ્રોડક્ટ હવે ફક્ત ખાવા પીવા અને વોશિંગ સુધી જ સીમિત નથી રહ્યા. પરંતુ હવે મોબાઈલથી લઈને કપડાં માર્કેટ સુધી પતંજલિ પગપેસારો કરી ચૂક્યું છે.

|
Google Oneindia Gujarati News

પતંજલિ પ્રોડક્ટ હવે ફક્ત ખાવા પીવા અને વોશિંગ સુધી જ સીમિત નથી રહ્યા. પરંતુ હવે મોબાઈલથી લઈને કપડાં માર્કેટ સુધી પતંજલિ પગપેસારો કરી ચૂક્યું છે. આજે સોમવારે બાબા રામદેવે ધનતેરસને દિવસે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું છે. આજે તેમને પતંજલિ પરિધાન નામથી એક ખાસ શોરૂમ નું ઉદ્ઘાટન કર્યું છે.

patanjali paridhan

પતંજલિ પરિધાનનું પહેલું શોરૂમ દિલ્હીના પ્રીતમપુરામાં આવેલા નેતાજી સુભાષ પ્લેસના અગ્રવાલ સાઇબર પ્લાઝામાં ખોલવામાં આવ્યું છે. પતંજલિના આ શૉરૂમમાં તમને ડેનિમથી લઈને ઍથિનિક વેયર સુધી બધું જ મળશે.

આ પણ વાંચો: બાબા રામદેવ બોલ્યા, મારી જેમ કુંવારા લોકોને વિશેષ સમ્માન આપો

પતંજલિ પરિધાનમાં પુરુષો, મહિલાઓ અને બાળકો માટે બધા જ કપડાં મળશે. તેમાં ડેનિમ વિયર, એથેનિક વિયર, કેજ્યુઅલ વિયર અને ફોર્મલ વિયર પણ શામિલ છે. પતંજલિ પરિધાન હેઠળ કપડાંની ત્રણ બ્રાન્ડ લીવફીટ, આસ્થા અને સંસ્કાર બ્રાન્ડ ઉતારવામાં આવી છે. બાબા રામદેવ અનુસાર આ વેન્ચર ઘ્વારા દેશમાં આર્થિક આઝાદી આવશે. બાબા રામદેવે કહ્યું કે કપડાં વ્યકતિના વ્યક્તિત્વની ઓળખ અને સમ્માન હોય છે.

આ પણ વાંચો: રૂપિયાની સાથે સાથે દેશની ઈજ્જત પણ ગગડી: બાબા રામદેવ

આપને જણાવી દઈએ કે પતંજલિ પરિધાન અંગે સૌથી વધારે ચર્ચા તેના જીન્સ અંગે છે. પતંજલિ પ્રમુખ આચાર્ય બાલાક્રિષ્ન ઘ્વારા એક વાર જણાવવામાં આવ્યું હતું કે જીન્સની લોકપ્રિયતા એટલી વધારે છે કે તેને ભારતીય સમાજથી અલગ નહીં કરી શકાય. હવે ક્યાંતો આપણે તેની બહિષ્કાર કરી શકીયે અથવા તો તેને આપણી સંસ્કૃતિ અનુસાર ઢાળી લઈએ. પતંજલિ ઘ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે તેમના જીન્સની સ્ટાઇલ, ડિઝાઇન અને ફેબ્રિકમાં ભારતીયતા હશે અને તે ઘણું આરામદાયક પણ હશે.

English summary
Baba Ramdev Launches patanjali Paridhan Showroom In Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X