મોદી વિજયને પગલે ડિસેમ્બરમાં સેન્સેક્સ 29000 થઇ શકે
મુંબઇ, 19 મે : વિશ્વની જાણીતી બ્રોકિંગ ફર્મ એડલવેઇસે શેરબજારના રોકાણકારોને માટે આશાવાદ જગાવતી વાત કરી છે. ફર્મના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીના ભવ્ય વિજયને પગલે શેરમાર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી શકે છે.
એડલવેઇસના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2014 સુધીમાં સેન્સેકસ 29000 અને નિફટી 9000ની સપાટી વટાવી જઇ શકે છે. ચૂંટણીની જાહેરાતથી લઇને પરિણામ જાહેર થવા સુધીમાં સેન્સેકસ 2000 પોઇન્ટ વધ્યો છે અને ગત શુક્રવારે પરિણામ આવ્યા બાદ તે 1470 પોઇન્ટ વધ્યો હતો.
શુક્રવારે રોકાણકારો 1 લાખ કરોડ ઠાલવ્યા હતા. માર્કેટમાં નાણાનો પ્રવાહ વધવાથી માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ વધારો થઇને તેનું મૂલ્ય 80.64 લાખ કરોડ થયું છે.
એડલવાઇઝ સિકયુરીટીના 20 ટકા વધશે. વર્ષના અંત સુધીમાં સેન્સેકસ 29000 અને નિફટી 9000 થવાની શકયતા છે. માર્કેટંમાં આ વધારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સ કંપનીઓના શેર્સ ઉપરાંત બેંકિંગ અને પીએસયુ કંપનીના શેર્સ કરશે.