LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત સરકારે દેશમાં પેટ્રોલિયમ અને ગેસ પુરવઠા અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરી છે.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સત્તાવાર નિવેદન દ્વારા જણાવ્યું છે કે દેશમાં એલપીજી સિલિન્ડર અને ઇંધણનો જથ્થો પૂરતો છે.

સરકારે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો પર ફેલાતી અફવાઓથી નાગરિકોને ગભરાટમાં ન આવવા અને સજાગ રહેવા માટે ખાસ વિનંતી કરી છે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઇંધણનો સપ્લાય સામાન્ય છે, તેથી લોકોએ બિનજરૂરી રીતે સિલિન્ડરનું 'પેનિક બુકિંગ' કરવાનું ટાળવું જોઈએ.
રાજ્ય સરકારો અને ટીવી ચેનલોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ જનતામાં કોઈ પણ પ્રકારનો ગભરાટ ન ફેલાય તેનું ધ્યાન રાખે.
સરકારે ખાતરી આપી છે કે કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે પુરવઠાની સાંકળને વ્યવસ્થિત જાળવી રાખવા તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
