કોરોનાની બીજી લહેરથી અર્થવ્યવસ્થા પ્રભાવિત, IMFએ ભારતના GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યુ

નવી દિલ્લીઃ કોરોનાની બીજી લહેરે દેશની અર્થવ્યવસ્થાને ગંભીર રીતે પ્રભાવિત કરી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)નો લેટેસ્ટ રિપોર્ટ પણ આ તરફ ઈશારો કરી રહ્યા છે. આઈએમએફે નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતના જીડીપી ગ્રોથનુ અનુમાન

નવી દિલ્લીઃ કોરોનાની બીજી લહેરે દેશની અર્થવ્યવસ્થાને ગંભીર રીતે પ્રભાવિત કરી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)નો લેટેસ્ટ રિપોર્ટ પણ આ તરફ ઈશારો કરી રહ્યા છે. આઈએમએફે નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતના જીડીપી ગ્રોથનુ અનુમાન ઘટાડી દીધુ છે. રિપોર્ટ મુજબ માર્ચ-મે દરમિયાન કોરોનાની બીજી લહેરની અસરના કારણે ભારતમાં વિકાસની સંભાવનાઓ ઘટી ગઈ છે.

Corona

પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં IMFએ નાણાકીય વર્ષ 2022 માટે જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડીને 8.5 ટકા રહેવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. વળી, પહેલા ભારતનો જીડીપી ગ્રોથ 12.5 ટકા રહેવાનુ અનુમાન કરવામાં આવ્યુ હતુ જેને હવે નીચે કરી દેવામાં આવ્યુ છે. આઈએમએફે કોરોનાની બીજી લહેરના કારણે દેશની અર્થવ્યવસ્થા પર પડેલી અસરના કારણે આ અનુમાનને ઘટાડી દીધુ છે. વળી, નાણાકીય વર્ષ 2021 માટે જીડીપી ગ્રોથ અનુમાનને 9.5 ટકા રાખવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે IMFએ નવો વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક જાહેર કર્યો છે, જેમાં કોરોનાની બીજી લહેરને પગલે અનુમાનિત ઈકોનોમી ગ્રોથ ઘટાડી દેવામાં આવ્યો છે. ભારત ઉપરાંત આઈએમએફે 2022 વૈશ્વિક અર્થવ્યવસ્થા ગ્રોથના અનુમાનના અનુમાનને 6 ટકા પર બનાવી રાખ્યું છે. જ્યારે 2021 માટે તે 5.6 ટકા રહેવાની ઉમ્મીદ જતાવાઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X