આધારના દરેક ખોટા ઉપયોગ પર થશે 10-10 હજારનો દંડ, જાણો તૈયારી
પાન નંબરની જગ્યાએ હવે સરકારે આધારના ઉપયોગની ચૂટ આપી દીધી છે, પરંતુ તેની સાથે એક આકરી શરત પણ લગાવાઈ છે.
પાન નંબરની જગ્યાએ હવે સરકારે આધારના ઉપયોગની છૂટ આપી દીધી છે, પરંતુ તેની સાથે એક આકરી શરત પણ લગાવાઈ છે. જો કોઈએ આ શરત પૂરી ન કરી તો તેના પર 10 હજારની પેનલ્ટી લાગશે. સરકારે આ વખતે બજેટ પ્રસ્તાવમાં હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન માટે પાન કાર્ડના બદલે આધાર નંબરના ઉપયોગની છૂટ આપી છે. હવે પાનના સ્થાને આધાર નંબરનો ઉપયોગ કરીને તમે કારથી લઈ ઘર પણ ખરીદી શકો છો. આ ઉપરાંત રોકાણ અને વિદેશ પ્રવાસ માટે પેનના બદલે આધાર નંબરનો ઉપયોગ થઈ શકે છે.

સપ્ટેમ્બરથી લાગુ થશે આ આકરો નિર્ણય
હાલ બજેટ 2019 પસાર નથી થયું, એટલે આશા છે કે આધાર નંબરના ખોટા ઉપયોગ પર 10 હજારના દંડની જોગવાઈ 1 સપ્ટેમ્બર 2019થી લાગુ તશે, ત્યાં સુધી બજેટમાં પ્રસ્તાવિત આ નિયમને કાયદા તરીકે નોટિફાય કરવામાં આવશે. આ માહિતી બે વરિષ્ઠ અધિકારીઓએ આપી છે.

દરેક વખતે 10 હજારનો દંડ
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે આ નિયમ અંતર્ગત લોકો જેટલીવાર ખોટો આધાર નંબર આપશે, તેટલીવાર 10 હજારનો દંડ થશે. જો કે પેનલ્ટી લગાવતા પહેલા તે વ્યક્તિનો પક્ષ જાણવાનો પ્રયત્ન જરૂર કરાશે. આ અધિકારીઓના કહેવા પ્રમાણે હાલના નિયમો 5 જુલાઈએ રજૂ થયેલા બજેટ પ્રસ્તાવ પ્રમાણે બદલાઈ જશે. જે અંતર્ગત પાન અને આધારને ઈન્ટર ચેન્જેબિલિટી તરીકે વાપરવાની પરવાનગી મળશે.

બજેટ 2019માં હતો આ પ્રસ્તાવ
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પોતાના બજેટ પ્રસ્તાવમાં 5 જુલાઈ 2019ના રોજ આ પ્રસ્તાવ મૂક્યો હતો. દેશમાં હાલ લગભગ 120 કરોડ લોકો પાસે આધાર નંબર છે, જ્યારે પાન નંબર માત્ર 22 કરોડ લોકો પાસે જ છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પાન અને આધારને એક સરખું સ્ટેટસ આપીને ઈન્કમટેક્સ રિટર્નમાં પણ પાનના બદલે આધાર નંબરના ઉપયોગની છૂટ આપવા પ્રસ્તાવ મૂક્યો છે.

આધારનો ઉપયોગ વધારાઈ રહ્યો છે.
આ બજેટ 2019ના પ્રસ્તાવ અંતર્ગત 50 હજાર રૂપિયાથી વધુની ખરીદી કે ચૂકવણી માટે હવે આધાર નંબરનો ઉપયોગ કરી શકાશે. આ પહેલા હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન માટે માત્ર પાન નંબરનો જ ઉપયોગ તઈ શક્તો હતો. જાણકારોના કહેવા પ્રમાણે ઈન્કમટેક્સ એક્ટ 272 બીમાં સંશોધન કરીને પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવશે. બાદમાં જ તે કાયદો બની શક્શે. અત્યારે જે કાયદો છે, તેમાં ઘણી ખામી છે. પરંતુ આ સુધારા બાદ હવે દરેક આધારના ખોટા ઉપયોગ પર 10 હજારની પેનલ્ટી લગાવવાની જોગવાઈ છે. મોદી સરકારનું માનવું છે કે 10 હજારની પેનલ્ટીની જોગવાઈથી લોકોમાં પાન અને આધાર નંબરનો ઉલ્લેખ કરવાની જાગૃતિ આવશે અને ટેક્સ વધારવામાં મદદ થશે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
