પહેલી વાર ભારતીય અર્થવ્યવસ્થા પર ગ્લોબલ મંદીની અસર થઈ રહી છે
પાછલી અનેક ગ્લોબલ મંદી ભારતીય અર્થવ્યવસ્થાનો વાળ પણ વાંકો કરી શકી નથી કારણ કે તે માટે ભારતીયોની પારંપરિક બચત કરવાની નીતિ જવાબદાર છે.
પાછલી અનેક ગ્લોબલ મંદી ભારતીય અર્થવ્યવસ્થાનો વાળ પણ વાંકો કરી શકી નથી કારણ કે તે માટે ભારતીયોની પારંપરિક બચત કરવાની નીતિ જવાબદાર છે. બચત કરવાને કારણે જ ગ્લોબલ મંદીની અસર ભારતીય બજારો પર ઓછી પડતી હતી. કારણ કે આર્થિક સુધારો અને બેંક રેપો રેટની અસર ભારતીય બજારને અડકીને જતી રહેતી હતી, જો કે આ વખતે મંદી ઘાતક જણાઈ રહી છે.

રેપો રેટ ઘટાડ્યા છતાં બજારમાં કડાકો
શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો દરમાં કરાયેલો ઘટાડો તેનો સંકેત આપે છે. રિઝર્વ બેંકે રેપો દરમાં 0.25ના ઘટાડાની ઘોષણા કરી, પણ શેયર બજાર પર તેની કોઈ અસર પડી નહિં. ઉલ્ટાનું શેયર બજારમાં હાહાકાર મચી ગયો. મંદી દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થા માટે આધાર સ્તંભનું કામ કરનાર બચત પ્રોત્સાહન પર આરબીઆઈની રિપોર્ટ વધુ ડરાવનારી છે. નાણાકીય વર્ષ 2018-19ના રિપોર્ટ પ્રમાણે ભારતીય કુટુંબોના બચતમાં પણ ભારે ઘટાડો આવ્યો છે.
એવું પહેલી વાર એવું બન્યુ કે જ્યારે રેપો રેટમાં ઘટાડો કરવા છતાં શેયર બજારમાં ઘટાડો નોંધાયો. જેનાથી રોકાણકારોના એક દિવસમાં 1.43 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા. જો કે આ માટે બીજા અન્ય કારણો પણ જવાબદાર છે પણ ગ્લોબલ મંદી ભારતીય અર્થવ્યવસ્થા માટે શુભ નથી.

રોકાણકારોના 4.5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ
શુક્રવારે બીએસઈનો સેન્સેક્સ 433.56 અંક ઘટી 37,673.31 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી પણ 139.25 અંક ઘટી 11,174.75 પર બંધ થયો. સેન્સેક્સ સતત પાંચ સત્રમાં અત્યાર સુધી કુલ 1,316.43 અંક તૂટી ચૂક્યો છે. શુક્રવારે શેયર બજારમાં બેંક, ઓટો અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા શેયરોમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો. એવું મનાઈ રહ્યુ છે કે વિકાસ દરનું અનુમાન ઘટાવ્યા બાદ આ શેયરોમાં ઘટાડો આવ્યો. આ ઘટાડાને કારણે રોકાણકારોના 4.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું ધોવાણ થયુ.
વાસ્તવમાં ગુરુવારે નબળા આંતરરાષ્ટ્રીય સંકેતોને કારણે શેયર બજારોમાં કારોબારીની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. કારોબાર દરમિયાન દિવસભર પણ ઉતાર-ચઢાવ રહ્યા અને દિવસના અંતે સેન્સેક્સ 198 અંક અને નિફ્ટી 47 અંક ઘટી બંધ રહ્યો.

વ્યાજ દર ઘટાડ્યા બાદ પણ બજારમાં વેચાણવાલી શરૂ થઈ ગઈ
એવું મનાઈ રહ્યુ હતુ કે શુક્રવારે રિઝર્વ બેંક દ્વારા મુખ્ય વ્યાજ દરમાં ઘટાડાની ઘોષણા સાથે બજારમાં રોનક પાછી આવશે. જો કે વ્યાજ દર ઘટાડ્યા બાદ પણ બજારમાં વેચાણવાલી શરૂ થઈ ગઈ અને સેન્સેક્સ ઘટતો જ ગયો. રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષના ચોથા દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમિક્ષામાં રેપો દરમાં 0.25 ટકા ઘટાડો કરી 5.15 ટકા કરવાની ઘોષણા કરી. વ્યાજ દરમાં ઘટાડા બાદ બેંકોના લોનના દરમાં ઘટાડો થવાની શક્યતા છે. જેનાથી સામાન્ય વ્યક્તિને લોન લેવા માટેના માસિક હપ્તામાં ઘટાડાનું અનુમાન છે.

રોકાણકારોમાં ભારતીય અર્થવ્યવસ્થા ખરાબ હોવાના સંકેત
આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે દેશનું વિકાસ અનુમાન 6.9 ટકાથી ઘટાડી 6.1 ટકા કરી દીધુ. જો કે નાણાકીય વર્ષ 2020-21 માટે જીડીપીનું અનુમાન 7.2 ટકા રાખવામાં આવ્યુ છે. એવું મનાઈ રહ્યુ છે કે વિકાસ અનુમાન 6.9 ટકાથી 6.1 ટકા કરાતા રોકાણકારોને આર્થિક ક્ષેત્રે ભારતીય અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિના સંકેત મળી ગયા, જે બજારમાં ઘટાડાનું મોટુ કારણ હોઈ શકે. રેપોરેટમાં ઘટાડા બાદ શેયર બજારમાં ઘટાડો એ વર્તમાન ગ્લોબલ સ્લો ડાઉનથી વધુ ખતરનાક હોઈ શકે છે.
જૂન ત્રિમાસમાં મોટાભાગની કંપનીઓનું પરિણામ સારુ રહ્યુ નથી. અનેક કંપનીઓનું પ્રદર્શન અપેક્ષા કરતા ઘણું ખરાબ રહ્યુ. તેનાથી શેયર બજારના રોકાણકારોમાં નિરાશા વ્યાપી છે. અમેરિકાના કેન્દ્રિય બેંક ફેડરલ રિઝર્વે વર્ષ 2008ની મંદી બાદ પહેલી વાર વ્યાજ દર ઘટાડ્યા. ફેડરલ રિઝર્વે 2008 બાદથી બુધવારે પહેલી વાર વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો. ફેડને નજીકના ભવિષ્યમાં પણ વ્યાજ દરોમાં ઘટાડાની વાત કરી. ડોલરના મજબૂત થવાથી બજાર પર અસર પડી છે.

વિદેશી રોકાણકારોની નિકાસી વધી
બજેટમાં પૈસાદાર પર ટેક્સ વધારવાની ધોષણા બાદ વિદેશી રોકાણકારો બજારમાંથી પોતાના પૈસા કાઢી રહ્યા છે. જુલાઈથી એક ઓગસ્ટ સુધી વિદેશી રોકાણકારોએ 16,000 કરોડની નિકાસી કરી છે. વૈશ્વિક બજારોમાં પણ ભારે ઘટાડો આવ્યો છે. અમેરિકા, યુરોપ સહિત એશિયાઈ બજારોમાં ઘટાડો આવી રહ્યો છે. જેની અસર ભારતીય અર્થ વ્યવસ્થા પર પણ પડી રહી છે.

ચાર વર્ષમાં સૌથી નિચલા સ્તરે પાયાના ઉદ્યોગો
જૂન મહિનામાં આઠ પાયાના ઉદ્યોગોનો વૃદ્ધિ દર માત્ર 0.2 ટકા નોંધાયો છે. આ પ્રદર્શન ચાર વર્ષનું સૌથી નિચલા સ્તરનું છે. તેનાથી શેયર બજારમાં ઘટાડો ઝડપથી વધી રહ્યો છે. જો કે ગ્લોબલ મંદી પણ આ માટે એક કારણ છે.

બજેટ બાદ 200 અબજ ડોલરનું થયુ ધોવાણ
બીએસઈનું રજીસ્ટ્રેશન બજેટ બાદ 200 અબજ ડોલર ઘટી ગયુ છે. બજેટ રજૂ થયા બાદ બીએસઈના રજીસ્ટ્રેશન 1,52,55,451 કરોડ હતુ, જે એક ઓગસ્ટે ઘટી 1,39,87,400 કરોડ રહી ગયુ. બજેટમાં પૈસાદારો પર કર વધારવાના નિર્ણય બાદ વિદેશી રોકાણકારો તરફથી કરાઈ રહેલી વેચાણવાલીને કારણે બજારમાં રજીસ્ટ્રેશન ઘટ્યુ છે.
આ પણ વાંચો: HSBC બેંક ટૂંક સમયમાં 10,000 લોકોને છૂટા કરી શકે છે, જાણો કારણ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
