L&T ચીફ બાદ HDFCના ચેરમેને કહ્યું- અર્થતંત્રની ગતિ ધીમી પડી રહી છે
L&T ચીફ બાદ HDFCના ચેરમેને કહ્યું- અર્થતંત્રની ગતિ ધીમી પડી રહી છે
દેશની અર્થવ્યવસ્થાની હાલને લઈ લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન એએમ નાઈકે ચિંતા વ્યક્ત કરી હતી, જે બાદ એચડીએફસીના ચેરમેન દીપક પારેખે પણ કંઈક આવી રીતે જ ચિંતા જાહેર કરી છે. પારેખે શુક્રવારે કહ્યું કે અર્થવ્યવસ્થાની ગતિમાં સુસ્તી જોવા મળી રહી છે. પરંતુ તેમણે ઉમ્મીદ જતાવી કે તહેવારોની મોસમ નજીક આવતા આવતા હાલત સામાન્ય હશે.

દીપક પારેખે કહી મોટી વાત
દીપક પારેખ મુજબ નૉન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઈનાન્સ અને બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ સમક્ષ રોકડની કમી અને બેંકો દ્વારા લોન આપવા મામલે સખ્ત અડિયલ વલણ અપનાવવાના કારણે સમસ્યા વધી છે. તેમણે કહ્યું કે નૉન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ લોન આપવામાં ખચકાટ અનુભવી રહી છે. પારેખે કહ્યું કે બેંકોએ લોન આપવાને લઈ અડિયલ વલણ અપનાવી રાખ્યું છે. જેની કેટલાય સેક્ટર્સ પર ખરાબ અસર પડી રહી છે.

આ કારણે અર્થતંત્રમાં સુસ્તી
જો કે, એચડીએફસી ચેરમેને ઉમ્મીદ જતાવી કે તહેવારોની મોસમ નજીક આવતા હાલાત સામાન્ય હશે. તેમણે માન્યું કે ઈકોનોમીમાં સુસ્તી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, જે નાણાકીય વર્ષ 2019માં 6.8 ટકાના જીડીપી ગ્રોથના આંકડાથી પણ માલૂમ પડે છે. જો કે, આર્થિક રફ્તારમાં આ સુસ્તી અસ્થાઈ છે. જણાવી દઈએ કે માર્ચના ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ ઘટીને 5.8 ટકા રહી ગયો છે.

લોન આપવામાં ખચકાટ મોટું કારણ
જ્યારે આઠ કોર ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથ 50 મહિનાના ન્યૂનતમ સ્તર પર ઘટીને જૂનમાં 0.2 ટકા પર પહોંચી ગયો, મેમાં આ આંકડા 4.3 ટકા હતો. અગાઉ એલએંડટીના ચેરમેન નાયકે કહ્યું હતું કે આપણે ખુદને ખુદકિશ્મત સમજવા જોઈએ કે જો જીડીપીના આંકડા 6.5 પર સ્થિર રહે છે તો તેમણે સુસ્ત ઈકોનોમીને પાટા પર લાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને તેજીથી મંૂરી આપવાની રીતને અપનાવવાનો સુજાવ આપ્યો હતો જે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સીએમ હતા ત્યારે કર્યું હતું.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
