ભારતમાં ગોલ્ડ જ્વેલરી કેવી રીતે અને ક્યાં વેચી શકાય?
ભારતીય પરંપરામાં લોકો હંમેશા વાર તહેવાર પર સોનાની ખરીદી કરીને સંકટના સમયે વેચીને નાણાની તંગીને દૂર કરે છે. સોનાને વેચવામાં આવે છે તે માટેના અન્ય કારણો પણ છે. જો કે વર્તમાન સમયમાં આપની પાસે રહેલું સોનુ વેચવાનો યોગ્ય સમય નથી. કારણ કે ગયા વર્ષે સોનાના ભાવ રૂપિયા 32,000ની સપાટીએ પહોંચી ગયા હતા જે આજે રૂપિયા 26,000થી 27,000ની વચ્ચે છે.
આપને સોનાના વેચાણ દ્વારા મહત્તમ લાભ મળે તે માટે અમે સોનાના વેચાણ સંબંધિત કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ...

સોનાના ઘરેણા કેવી રીતે વેચશો?
જો કોઇ કિસ્સામાં આપ ભારતમાં સોનાના ઘરેણા વેચવા કાઢો તો આગળ કહેવામાં આવી છે તે બાબતોને ખાસ ધ્યાનમાં રાખશો તો આપને વેચાણમાં મહત્તમ ફાયદો મળી શકશે.

તૂટી ગયા હોય તેવા ઘરેણા પહેલા વેચો
સોનાના ઘરેણા જ્યારે પણ વેચવાના હોય ત્યારે આપના ઘરમાં રહેલા અને ત્રુટિવાળા અથવા તો તૂટી ગયા હોય તેવા ઘરેણાને વેચવામાં પ્રાથમિકતા આપવી. જ્વેલર્સ તૂટલા ઘરેણા કહીને સાવ ઓછી કિંમત આપવાની વાત કહે ત્યારે ખાસ ધ્યાન રાખવું કે આપણે સોનાની કિંમત ગણીએ છીએ. ઘરેણું આખું છે કે તુંટલું તેનાથી ખાસ ફેર પડતો નથી.

એક નહીં અનેક જ્વેલર્સને પૂછો
સોનાના ઘરેણા વેચતા પહેલા એક જ જ્વેલર્સને બતાવીને તેની કિંમત પૂછવાને બદલે ચાર પાંચ જ્વેલર્સને બતાવીને અભિપ્રાય પૂછવો જોઇએ. ત્યાર બાદ મહત્તમ લાભ મળે તેને વેચાણ કરવું જોઇએ.

બિલ હંમેશા સાચવી રાખો
હંમેશા સોનાના ઘરેણાની ખરીદીના બિલ સાચવીને રાખવા જોઇએ. ઘરેણાના વેચાણ સમયે મોટા ભાગના જ્વેલર્સ બિલ માંગે છે.

સોનાની ચાલનો અભ્યાસ કરો
હંમેશા સોનાની ચાલ અને તેની કિંમતના વલણનો અભ્યાસ કરતા રહો. જ્યારે સારામાં સારો ભાવ મળે અથવા તો ભાવ ગગડી રહ્યા હોય ત્યારે વધારે નુકસાન જાય એ પહેલા તેને વેચી દેવા જોઇએ.

ઉપયોગમાં ના લેતા હોય તેવી વસ્તુઓ ચકાસો
સોનાના ઘરેણામાં સૌપ્રથમ જે વસ્તુઓ વપરાશમાં ના હોય તેને વેચવાનો આગ્રહ રાખો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
