ઈન્ક્મ ટેક્સમાં છૂટ મેળવવા માટે હવે આ કામ કરવું પડશે
ઈન્ક્મ ટેક્સ વિભાગ તરફથી એક નવી ખબર આવી છે. શિક્ષા સંસ્થાનો, હોસ્પિટલ, પરમાર્થ અને ધાર્મિક સંસ્થાઓને ટેક્સ છૂટ માટે ઓનલાઇન એપ્લિકેશન દાખલ કરવી પડશે
ઈન્ક્મ ટેક્સ વિભાગ તરફથી એક નવી ખબર આવી છે. શિક્ષા સંસ્થાનો, હોસ્પિટલ, પરમાર્થ અને ધાર્મિક સંસ્થાઓને ટેક્સ છૂટ માટે ઓનલાઇન એપ્લિકેશન દાખલ કરવી પડશે. આ વાતની જાણકારી જાતે ઈન્ક્મ ટેક્સ વિભાગ ઘ્વારા આપવામાં આવી છે. ઈન્ક્મ ટેક્સ વિભાગ ઘ્વારા સંશોધિત નિયમો અને એપ્લિકેશન ફોર્મ પર ધારકો પાસે 12 નવેમ્બર સુધી જવાબ માંગ્યો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ (સીબીડીટી) એ નિવેદનમાં જણાવ્યું હતું કે, "જેમાં સરકારે ડિજિટલ સિસ્ટમ આગળ ધપાવી છે તે રીતે, આવકવેરા વિભાગે નિર્ણય લીધો છે કે આ પ્રકારની અરજીઓ મેન્યુઅલ ફોર્મમાં આપવાની પ્રક્રિયાને પુરી રીતે ખતમ કરવામાં આવે.
આ પણ વાંચો: 4 વર્ષમાં આઈટીઆર ફાઈલ કરનારની સંખ્યા 80 ટકા વધી: રિપોર્ટ
આ ઉપરાંત, કંપનીના રજિસ્ટ્રાર સાથેની નોંધણીની સ્વ પ્રમાણિત નકલ પણ આવી એપ્લિકેશન સાથે આપવામાં આવશે. ઉપરાંત, ખાતાની નકલ અને એકાઉન્ટ્સની નકલ પણ પણ આપવી પડશે. આવકવેરા વિભાગે આ નિયમો અને અરજીઓના ફોર્મમાં સુધારો કરવા માટે તમામ લોકોને સૂચનો મેળવવા જણાવ્યું છે.
આ પણ વાંચો: હોમ લોન પર ટેક્સ કેવી રીતે બચાવશો?
છેલ્લા 5 વર્ષોમાં, આવકવેરા ભર્યા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષે સરખામણીમાં કરવેરામાં પણ 15.7 ટકાનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં 4.89 લાખ કરોડનો ડાયરેક્ટ ટેક્સ આવ્યો છે. આવકવેરા વિભાગે રૂપિયા 1.09 લાખ કરોડની રૂ. 2 કરોડની રિફંડ પણ વહેંચી છે. આવકવેરા વિભાગને 5.8 કરોડના આવકવેરાના વળતર મળ્યા છે. આપને જણાવી દઈએ કે હાલમાં દેશમાં 6.26 કરોડ કરદાતાઓ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
